Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalમહારાષ્ટ્રના ભિવંડીમાં બિલ્ડિંગ પડવાથી 10 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભિવંડીમાં બિલ્ડિંગ પડવાથી 10 લોકોનાં મોત

 મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુંબઈથી નજીક ભિવંડીમાં ધામણકર નાકાની પાસે પટેલ કમ્પાઉન્ડ ક્ષેત્રમાં સવારે એક ત્રણ માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 30થી 40 લોકો હજી બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. આ દુર્ઘટના સવારે આશરે 3.40 મિનિટે થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને ફાયરબ્રિગ્રેડ વિભાગ રાહત કાર્યોમાં લાગેલો છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ જિલાની નામના આ બિલ્ડિંગના કાટમાળમાંથી અત્યાર સુધી 20 લોકોને કાઢવામાં આવ્યા છે.

નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયરબ્રિગ્રેડ અને પોલીસની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આ બિલ્ડિંગમાં 40 પરિવાર રહેતા હતા, આ બિલ્ડિંગ 40 વર્ષ જૂનું છે, એમ NDRFના પ્રમુખ સત્ય પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું.

 આ બિલ્ડિંગ જોખમી બિલ્ડિંગોની યાદીમાં નહીં

ભિવંડી નિઝામપુર નગર નિગમે જણાવ્યું હતું કે જિલાની એપાર્ટમેન્ટ જોખમી બિલ્ડિંગની યાદીમાં નહોતું. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને ત્રણ માળ હતા. આ બિલ્ડિંગમાં 40 ફ્લેટ હતા, જેમાં 150 લોકો રહેતા હતા.

આ બિલ્ડિંગના કાટમાળમાં  બહાર કાઢવામાં આવેલા લોકોમાં મોબિન શેખ, સલમાની, રુક્શાર કુરેશી, મોહમ્મદ અલી, સબીર કુરેશી સામેલ છે. આ સિવાય માર્યા ગયેલાઓમાં ઝુબૈર, ફૈઝા, આયશા અને બબ્બુ સામેલ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular