Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsNationalમોદી સરકારની નીતિઓનો વિરોધઃ આવતીકાલે ટ્રેડ યૂનિયનોની હડતાળ

મોદી સરકારની નીતિઓનો વિરોધઃ આવતીકાલે ટ્રેડ યૂનિયનોની હડતાળ

નવી દિલ્હીઃ મોદી સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટાઈઝેશન અને શ્રમ સુધાર નીતિઓ વિરુદ્ધ 10 કેન્દ્રીય વ્યાપાર સંઘ આવતીકાલે દેશવ્યાપી હડતાળ કરશે. સીપીએમ સાથે જોડાયેલા CITU એ દાવો કર્યો છે કે આ દેશવ્યાપી હડતાળમાં આશરે 25 કરોડ કર્મચારીઓ ભાગ લેશે. આમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC ની સાથે જ ક્ષેત્રીય સ્વતંત્ર મહાસંઘો અને સંઘોના કાર્યકર્તા હડતાળમાં ભાગ લેશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગત સપ્તાહે એક બેઠક કરી, પરંતુ કેન્દ્રીય વ્યાપાર સંઘોને પોતાની હડતાળ બંધ કરવા માટે મનાવવામાં નિષ્ફળ રહ્યા. CITU દ્વારા જાહેર એક અધિકારિક નિવેદન અનુસાર 4 વર્ષથી વધારેનો સમય પસાર થયો પરંતુ જુલાઈ 2015 બાદ કોઈપણ ભારતીય શ્રમ સમ્મેલન આયોજિત કરવામાં આવ્યું નથી. છેલ્લે ઓગસ્ટ 2015 માં મંત્રીઓના સમૂહ સાથે 12 મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી તે મામલે કંઈ જ આગળ વધ્યુ નથી.

નિવેદન અનુસાર સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને પહોંચી વળવામાં નિષ્ફળ સરકાર પ્રાઈવેટાઈઝેશન અને PSUS ના વેચાણમાં વ્યસ્ત છે. પ્રાકૃતિક સંસાધન અને અન્ય રાષ્ટ્રીય સંપત્તિ જે રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય વિકાસ માટે હાનિકારક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular