Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalમણિપુરના જિરીબામ અથડામણમાં બે લોકોનાં મોત, છ લોકો લાપતા

મણિપુરના જિરીબામ અથડામણમાં બે લોકોનાં મોત, છ લોકો લાપતા

ઇમ્ફાલઃ મણિપુરના જિરીબામ વિસ્તારમાં ઘણું ટેન્શન પ્રવર્તી રહ્યું છે. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બાદથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ છ જણ મૈતેઈ પરિવારના જ હોવાનું મૈતેઈ સમુદાયે જણાવ્યું છે. વધુમાં મૈતેઈ સમુદાયના અન્ય બે ભાઈઓના મૃતદેહો પણ મળી આવ્યા છે. અહીં નિગરાની ઘણી વધી ગઈ છે.

જિરીબામમાં છ લોકોના અપહરણના સમાચાર સાથે ઈમ્ફાલ ખીણમાં ઉગ્ર આંદોલનને કારણે પાંચ જિલ્લામાં સંપૂર્ણપણે બંધનું એલાન છે. પોલીસે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. સોશિયલ મિડિયા પર આ ગુમ વ્યક્તિઓના ફોટો વાયરલ થયા છે.

મૈતેઈ સમુદાય જિરી અપુન્બા લુપ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ગુમ થયેલા છ લોકોમાં 1. તેલેમ થોઈબી દેવી (ઉ.વ.31) , તેની દીકરી તેલેમ થાજામંબી દેવી (ઉ.વ. 8), યુમ્રેમબમ રાની દેવી (ઉ.વ. 60), લૈશ્રામ હૈથોબી દેવી (ઉ.વ. 25) અને તેના એક અઢી વર્ષનું અને એક દસ મહિનાનું બાળક સામેલ છે. સોમવારે જિરીબામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવા 10 કુકી ઉગ્રવાદીઓ આવી ચઢ્યા હતાં. જેમને CRPFની ટીમે ઠાર માર્યા હતા, જેમાં એક CRPF જવાન પણ ઘાયલ થયો હતો. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી કુકી ઉગ્રવાદીઓ ઉશ્કેરાયા છે અને તેમણે અનેક ઘરોમાં આગ ચાંપી હતી. સુરક્ષા દળો પણ સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો કરી રહી છે. શાળા-કોલેજો, બજારો બંધ કરવામાં આવ્યા છે. સાર્વત્રિક રૂપે આગામી 24 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular