Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalહિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો

હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો

હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. જે ગયા શુક્રવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. સુરક્ષા અને તબીબી ટીમે હુમલાના સ્થળેથી જ મૃતદેહને બહાર કાઢ્યો છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહ પર સતત હુમલો કરી રહ્યું છે અને રવિવારે લેબેનોનની સરહદ પર ટેન્ક તૈનાત કરી છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર હિઝબુલ્લાહ નેતાનો મૃતદેહ મળી આવ્યો છે. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. એક તબીબી સ્ત્રોત અને સુરક્ષા સ્ત્રોતે જણાવ્યું હતું કે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર ઇઝરાયેલી હવાઈ હુમલાના સ્થળે તેનો મૃતદેહ અકબંધ મળી આવ્યો હતો.

નસરાલ્લાહનું મૃત્યુ કેવી રીતે થયું?

સૂત્રોએ જણાવ્યું હતું કે તેના શરીર પર કોઈ સીધો ઘા નથી અને એવું લાગે છે કે મૃત્યુનું કારણ જોરથી બ્લાસ્ટને કારણે થયેલ આઘાત હોઈ શકે છે. બીજી તરફ ઈઝરાયેલે કહ્યું કે હિઝબુલ્લાના ટાર્ગેટ પર હુમલા ચાલુ છે. એક નવા અપડેટમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા કેટલાક કલાકો દરમિયાન લેબનોનમાં હિઝબુલ્લાહના ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો છે. સેનાનું કહેવું છે કે હુમલાનો ઉદ્દેશ્ય હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર અને હથિયારોના ગોદામોને નષ્ટ કરવાનો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular