Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalછત્રપતિ શિવાજીની પ્રતિમા તોડવા સામે MVAનો વિરોધ

છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડવા સામે MVAનો વિરોધ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના મુદ્દે રાજકારણ ખૂબ જ ગરમાયું છે. મહાવિકાસ આઘાડીના નેતાઓ મુંબઈમાં એક થયા અને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેને જૂતા મારો આંદોલન નામ આપવામાં આવ્યું છે. મહાવિકાસ આઘાડીના નેતાઓએ દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકથી ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી પદયાત્રા કાઢી હતી. જેમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર, સુપ્રિયા સુલે, કોંગ્રેસ નેતા નાના પટોલે સહિત ઘટક પક્ષોના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.

આ દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા MVA નેતાઓએ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના પોસ્ટર પર ચપ્પલ અને જૂતા માર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની માફી અંગે નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમની માફી અહંકારથી ભરેલી છે. આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, પ્રતિમાનું પડવું એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે.

એક અહેવાલ મુજબ, NCP (SP)ના વડા શરદ પવારે પણ NDAના વિરોધમાં મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા સુધી પગપાળા કૂચ કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની તબિયત સારી નથી, છતાં તેઓ પદયાત્રામાં જોડાયા છે. તે જ સમયે, હુતાત્મા ચોક પાસે, મહિલા કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યની મહાયુતિ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular