Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbai'ઝરૂખો'માં બાળકાવ્યો અને ધીંગામસ્તી

‘ઝરૂખો’માં બાળકાવ્યો અને ધીંગામસ્તી

મુંબઈઃ બાળકોને મઝા પડે એવો એક કાર્યક્રમ બોરીવલીમાં ‘ઝરૂખો’એ યોજ્યો છે – ‘બાળકાવ્યો અને ધીંગામસ્તી’ .ગુજરાતી બાળકાવ્યોના વિવિધ રસને માણવા બાળકોની આંગળી પકડી સાથે લઈ જજો! લઇ જશો ને?

(ડાબે) અશોક ત્રિવેદી (જમણે) ધાર્મિક પરમાર

1 જુલાઈના શનિવારની સાંજે 7.20 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં કવિ અશોક ત્રિવેદી તથા યુવાન કવિ ધાર્મિક પરમાર સ્વરચિત બાળકાવ્યો રજૂ કરશે. શાળાનાં ભૂલકાં બાળકાવ્યો રજૂ કરશે અને કેટલાક કિશોરો સ્કૂલનાં સંસ્મરણો તાજાં કરશે.

કવિ અશોક ત્રિવેદીનાં બાળકાવ્યો એક સમયે ‘સમકાલીન’ અખબારમાં ધૂમ મચાવતાં હતાં. બેફામ સાહેબ, મેહુલભાઈ, બકુલ રાવલ, શોભિત દેસાઈ જેવા ગઝલકારો સાથે તેઓ કાર્યક્રમ આપતા. તેઓ શેરબજારના જાણીતા ચાર્ટ વિશ્લેષક પણ છે. ધાર્મિક પરમાર પત્રકાર છે અને બાળકાવ્યોના એક સંગ્રહ એમણે રચના કરી છે .

સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે યોજાયો છે અને એનું સંચાલન કવિ સંજય પંડ્યા કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular