Saturday, July 19, 2025
Google search engine
HomeNewsMumbaiઝરૂખો: 'અભિનયની ખાટીમીઠી' કાર્યક્રમ માટે આમંત્રણ

ઝરૂખો: ‘અભિનયની ખાટીમીઠી’ કાર્યક્રમ માટે આમંત્રણ

મુંબઈઃ બોરીવલીની સાહિત્યિક સાંજ ‘ઝરુખો’માં ‘અભિનયની ખાટીમીઠી’ કાર્યક્રમ અંતર્ગત તખ્તા, ટીવી સિરિયલ અને ફિલ્મોના જાણીતા કલાકાર અને દિગ્દર્શક વિપુલ વિઠલાણી અભિનય અને દિગ્દર્શન સાથે જોડાયેલી કેટલીક ખાટી મીઠી વાતો શ્રોતાઓ સાથે શેર કરશે. આ ઉપરાંત યુવા કલાકારો – રાજન સોરઠિયા અને દેવ જોશી બે નાનાં નાટક રજૂ કરશે – ‘ લવ યુ જિંદગી’  અને ‘ ગુજરાતી મીડીયમ’, જેના લેખક અને દિગ્દર્શક હુસેની દવાવાલા છે.

(ડાબેથી જમણે) વિપુલ વિઠલાણી, દેવ જોશી અને રાજન સોરઠિયા

સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર ,બોરીવલી પશ્ચિમ શનિવાર તારીખ ૫ ઓગસ્ટ સાંજે ૭.૨૦ વાગે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. હંમેશની જેમ આ જાહેર કાર્યક્રમ રહેશે. સર્વ ભાવકોને એમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular