Sunday, June 15, 2025
Google search engine
HomeNewsMumbaiબજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ

બજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ

‘રાજકોષિય બંધનો ફગાવી અરધી પીચે જઈ સિક્સર મારવાનો પ્રયાસ’

બિરેન વકિલ (કોમોડિટી એનાલિસ્ટ)

બહુ વરસો પછી ખાધપૂરવણીવાળું, ખર્ચાળ બજેટ જોવા મળ્યું. રાજકોષિય શિસ્તના બંધનો ફગાવી દીધા. બજેટખાધ 9.5 ટકા જેવી હોવા છતા નાણાભંડોળની ફાળવણીના મુદ્દે સરકારે નાણાંની કોથળી ઢીલી મુકી દીધી, નાણાંમંત્રીએ અરધી પીચે આવી સિકસર મારવાનો પ્રયાસ કર્યો એમ જ કહેવાય. (વીકેટ બચી કે  નહી એ પછી નક્કી કરીશું.). પાછલા વરસોથી આઇએમએફ કે વર્લ્ડ બેન્કને નજરમાં રાખી પાછલા કેટલાક ફિસ્કલ કોન્સોલિડેશન અપનાવાયું એમા વિદેશી પંડિતોની વાહવાહી તો મળી પણ ઘરઆંગણે રોકાણ અને વપરાશની સાયકલ મંદ પડી ગઇ. આ બજેટ રોકાણ અને વપરાશને બુસ્ટ આપી શકે એમ છે. કોરોના મંદી પછી હળવી નાણાંનીતિની મર્યાદાઓ આવી ગઇ છે. અમેરિકા અને ચીન હવે નાણાંકિય ઉપરાંત રાજકોષિય શિથીલ નીતિ તરફ જઇ રહ્યા છે. આત્મનિર્ભર ભારતની છાંટ પણ બજેટમાં દેખાઇ આવે છે. કોરોના કટોકટી અને ખેડુત આંદોલન અને બે રાજયોમાં ચૂંટણીના સંદર્ભે ક્રુષિધિરાણમાં 16 લાખ કરોડની ફાળવણી, આરોગ્યસેવાઓમાં 64000 કરોડ, આંતરમાળખા ક્ષેત્રે એલઆઇસીનો આઇપીઓ, વીમા ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથીવધારીને 74 ટકા જેવા ધ્યાનાકર્ષક ફેરફારો પણ સરકાર પર કયાથી કેવો દબાવ છે એનો આછો ચિતાર આપે છે. આવક વધારવા ફાજલ જમીનો, પીએસયુ કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ, ટેકસ કમ્પલાયન્સમાં આર્ટિફિસિયલ ઇન્ટેલીજન્સ જેવા ઉપાયોથી ભંડોળ ઉભુ કરવાની પણ સરકરની નેમ છે.

સોનાચાંદી બજાર માટે ઘણા વરસે હરખના સમાચાર આવ્યા. સોનાપર 12.5 ટકા ઘણી ઉંચી બેઝિક કસ્ટમ ડયુટી હતી એમાં 5 ટકા જેવો ઘટાડો કરાયોછે પણ સામે એગ્રી  સેસ 2.5 ટકા વધારી છે એટલે ચોક્ખો ફાયદો માંડ બે ટકા થશે. ડયુટીમાં અનપેક્ષિત ઘટાડો આવતા વાયદા બજારમાં સોનું એક તબક્કે રૂ 2000 તૂટી ગયું હતું. પણ પછી સાંજે થોડી રિકવરી આવી હતી. ચાંદીમાં વૈશ્વિક બજારમાં તોફાની તેજી હોવાથી ડયુટી ઘટાડાની અસર ધોવાઇ ગઇ હતી. રિટેલ વેપારીઓ અને વપરાશકારો ડયુટી કટથી ખુશ થયા છે. પણ નિકાસકારોને આ કરમાળખુ નિરાશ કરે એમ છે. ડયુટીકટ સામે એગ્રીસેસ લગવાની છે એ મજરે મળવાની નથી. એક આગેવાન બુલિયન ડિલરના મતે વિસંગતીઓ અને ગૂંચવાડો વધ્યો છે. બજેટ પ્રવચનમાં કસ્ટમ ડયુટીના ફેરફારો 1 ઓકટોબર 2021થી અમલી બનશે એમ કહેવાયું હતું. ડયુટી એપ્રિલથી અમલી બનશે કે ઓકટોબરથી એવુ ઘણા લોકોને પૂછી જોયુ પણ હજૂ  સ્પષ્ટતા મળતી નથી.

કોરાનાકાળમાં નાના વર્ગે, નાના વેપારીએ, ખાસતો નાના ને મધ્યમ વેપારીઓ- ઉદ્યોગકારોને ઘણું વેઠવું પડયુ છે. પગારદાર વર્ગને પણ ઘણું વેઠવુ પડયું છે. કોરોના એસઓપી પાલનના ખર્ચમાં વધારો, ગ્રુહીણીના રસોડાના બજેટમાં તોતિંગ વધારો, નાના રોકાણકાર, પગારદાર વર્ગ માટે કોઇ જ રાહત નથી. જોકે શેરબજારતો હરખાયુ. સિકયરટુ ટ્રાનેસેકશન ટેકસનો વધારો, કોરોના સેસ, ડિવિડન્ડ ટેકસ કે ટીસીએસમાં વધારો જેવો કિ નવો કરબોજો ન આવ્યો એને જ બજારે મોટી રાહત માની લીધી. રાજકોષિય રીતે ઉણું ઉતરતું બજેટ વર્તમાન આધુનિક અર્થશાસ્ત્રની વિભાવના- મોડર્ન મોનિટરી પોલીસીના સંદર્ભે બોલ્ડ અને અને રિલેવન્ટ બજેટ છે. જો કે હવેની ગ્લોબલાઇઝ્ડ ડિજિટલ ઇકોનોમીમા બજેટની બહુ લોંગ ટર્મ ઇફેકટ રહેતી નથી. બધા બજારો હવે ઇન્ટરકનેક્ટેડ અને ઇન્ટરડિપેન્ડન્ટ અને લિકવિડીટી પર નભતા પરોપજીવી બજારો થઇ ગયા છે. જ્યાં સુધી ફેડ લીકવીડીટી આપતી રહે ત્યાં સુધી પાર્ટી ચાલતી રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular