Monday, June 9, 2025
Google search engine
HomeNewsMumbaiબળાત્કારના આરોપને ઉદ્યોગપતિ સજ્જન જિંદલે નકાર્યો

બળાત્કારના આરોપને ઉદ્યોગપતિ સજ્જન જિંદલે નકાર્યો

મુંબઈઃ અહીંની એક મહિલા ડોક્ટરે મૂકેલા બળાત્કારના આરોપને સ્ટીલ ઉદ્યોગના મહારથી સજ્જન જિંદલે નકારી કાઢ્યા છે. મહિલા ડોક્ટરનાં આરોપને કારણે કોર્પોરેટ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સજ્જન જિંદલે તેમના હસ્તાક્ષરમાં એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં તેણે કહ્યું છે કે એમની સામેનો આરોપ ખોટો અને પાયાવિહોણો છે. પોતે આ કેસમાં સંપૂર્ણ તપાસમાં સહકાર આપશે. હવે જ્યારે આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે અમે વધુ કોઈ પણ ટીકાટિપ્પણ નહીં કરીએ. અમારી આપને વિનંતી છે કે તમે અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરશો.

30 વર્ષીય મહિલા ડોક્ટરે અહીંના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં જિંદલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 64 વર્ષના જિંદલ જેએસડબલ્યૂ ગ્રુપના ચેરમેન-કમ-મેનેજિંગ ડાઈરેક્ટર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular