Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiકોકિલાબહેન અંબાણી હોસ્પિટલ દ્વારા 'થેલેસેમિયા'ના વિશેષ સત્રનું આયોજન

કોકિલાબહેન અંબાણી હોસ્પિટલ દ્વારા ‘થેલેસેમિયા’ના વિશેષ સત્રનું આયોજન

મુંબઈઃ કોકિલાબહેનન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે આજે ‘થેલેસેમિયા, વે ફોર્વર્ડ’ પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ આનુવંશિક રક્ત વિકાર થેલેસેમિયાની સારવારમાં લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડવાનો હતો. આ સ્થિતિ સામે ઝઝૂમી રહેલા દર્દીઓને મદદ કરવા માટેની સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ અવસરે ભારતના માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરી હતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એમણે હેલ્થકેરને આગળ વધારવામાં જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે કોકિલાબહેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલનાં ચેરપર્સન ટીના અંબાણીએ થેલેસેમિયા પ્રોજેક્ટ હેઠળ લેવામાં આવનારાં પગલાંની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે અમારું ધ્યાન માત્ર ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ પૂરી પાડવા તરફ જ નથી, પરંતુ બીમારીથી બચવા માટે યોગ્ય પગલાં અને વિશાળ સમુદાય સુધી પહોંચવાના કાર્યક્રમો પર પણ કેન્દ્રિત છે. અમે દરેક બાળકને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ માટે અમારાથી બનતા તમામ પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.
થેલેસેમિયાને કારણે ગંભીર એનિમિયા, થાક અને વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે, જેના દર્દીઓને આજીવન લોહી ચડાવવું પડે છે તથા વ્યાપક તબીબી ઉપચારની જરૂર પડે છે. ભારતમાં દર વર્ષે 10,000થી વધુ બાળકો આ સ્થિતિ સાથે જન્મે છે. થેલેસેમિયાને હંમેશ માટે મટાડતી એકમાત્ર સારવાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન છે, જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન (BMT) તરીકે પણ ઓળખવામાં આવે છે.

કોકિલાબહેન હોસ્પિટલને જાહેર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયાના CSR ફંડનો ટેકો છે. આથી હોસ્પિટલના હેમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને ટેકો આપવા અને એના ખર્ચને આવરી લેવા તથા આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા થેલેસેમિયા દર્દીઓને મદદ કરવાનો વિશેષાધિકાર ધરાવે છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular