Sunday, July 20, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન’ સમારોહ

મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન’ સમારોહ

મુંબઈઃ મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતી માધ્યમની બધી જ શાળાઓ માટે છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠને દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમા ધોરણમાં દરેક શાળામાં પ્રથમ આવનાર તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વધુ સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો તેમજ ૧૦૦ ટકા પરિણામ લાવનાર શાળાઓનો ‘સરસ્વતી સન્માન’ સમારોહ તા. ૨ સપ્ટેમ્બર , શનિવારના રોજ બપોરે ૩ થી સાંજે ૭ સુધી ઘાટકોપરની એસ.પી.આર. જૈન કન્યા શાળાનાં શ્રીમતી ભૂરીબેન ગોળવાળા સભાગૃહમાં રાખ્યો છે. આ સમારોહમાં દરેક વિદ્યાર્થીઓને સ્મૃતિચિન્હ, રોકડ ઈનામી રકમ, પુસ્તકો તથા અન્ય ભેટો આપવામાં આવશે.

મહારાષ્ટ્રની કુલ ૬૨ શાળાઓનાં ટોપર વિદ્યાર્થીઓ તેમજ અંગ્રેજી અને ગુજરાતી વિષયનાં ૧૩૫ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવશે. આ સાથે બારમા ધોરણ અને અનુસ્નાતકમાં પણ સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

આ સમારોહમાં માતૃભાષાની ખાટી મીઠી વાતો સાથે હસતા હસતા હકીકત સમજાવતું એક નાટક પણ રજૂ કરવામાં આવશે, જેથી સમાજમાં માતૃભાષાના ભણતર માટે જાગૃતિ ફેલાવી શકાય.

આ સમારોહમાં મહારાષ્ટ્રના મુંબઈ, નાશિક, પૂણે, દહાણુ, સાંગલી જેવા વિવિધ શહેરોમાંથી પણ આચાર્ય, શિક્ષકો અને સંચાલકો હાજર રહેશે.

એસ.પી.આર. જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા એક પ્રસ્તુતિ કરવામાં આવશે. સંગઠનની યુવા ટીમ દ્વારા જનજાગૃતિ અને આત્મ ગૌરવ માટેનું એક શેરી નાટક પણ ભજવાશે. તેમજ યુવાનોને માતૃભાષાના સંવર્ધનના આ કાર્યમાં જોડાવા અનુરોધ કરાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular