Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsMumbai'ઝરૂખો'માં 'ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રી ચેતના' વિષય પર કાર્યક્રમ

‘ઝરૂખો’માં ‘ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રી ચેતના’ વિષય પર કાર્યક્રમ

 મુંબઈઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાવ પાસે છે ત્યારે બોરીવલીના શ્રી સાંઈલીલા વેલફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ દ્વારા ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રી ચેતના’ એ વિષય પર શનિવાર બીજી માર્ચ સાંજે ૭.૨૦ વાગ્યે  કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડો.સેજલ શાહ ‘ ગુજરાતી કાવ્યોમાં ‘સ્ત્રી ચેતના’ વિષય પર વાત કરશે. SNDT મહિલા વિદ્યાપીઠના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડો. દર્શના ઓઝા ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં “સ્ત્રી ચેતના’ એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર- જે ગાયિકા અને સ્વરકાર પણ છે, તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે.  આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. ‘ઝરૂખો’નો આ કાર્યક્રમ બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી-પશ્ચિમના સરનામે યોજવામાં આવ્યો છે અને ટ્રસ્ટી ગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular