Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં 24માંથી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટતાં રાહત

મુંબઈમાં 24માંથી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટતાં રાહત

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાથી મુંબઈ શહેર છેલ્લા પાંચ મહિનાથી ત્રસ્ત છે, પરંતુ હવે ધીમે ધીમે આ ચેપી બીમારીએ મુંબઈના અમુક વિસ્તારોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતાં સત્તાવાળાઓની ચિંતા ઘટી છે અને રાહત વધી છે.

 

મુંબઈના 24 પૈકી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 1 ટકાનો ઘટાડો થયો છે. હવે માત્ર ચાર વોર્ડમાં જ દર્દીઓની સંખ્યાનો દર વધારો 1 ટકાથી વધારે છે.

મુંબઈમાં ડબલિંગ રેટની મુદત 85 દિવસ પર પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મુદત સતત વધતી જોવા મળી છે. તેથી મહાનગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે.

હવે શહેરના માત્ર ચાર વોર્ડમાં જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારાનો દર એક ટકો અથવા એનાથી વધારે હોવાનું માલૂમ પડ્યું છે.

બાકીના 20 વોર્ડમાં રોગીઓની સંખ્યાનો વધારો ઘટી ગયો છે.

બોરીવલી (આર-મધ્ય), ગ્રાન્ટ રોડ (ડી-વોર્ડ), ફોર્ટ વિસ્તાર, ચંદનવાડી (સી-વોર્ડ), બાન્દ્રા પશ્ચિમ (એચ-વેસ્ટ)માં જ દર્દીઓની સંખ્યામાં થોડોક વધારો છે.

જે 20 વોર્ડમાં કોરોનાનો ચેપ ઘટી રહ્યો છે એમાંના સાત વોર્ડમાં રોગીઓની સંખ્યા અડધા ટકાથી વધારે છે. સાંતાક્રૂઝ (એચ-પૂર્વ), અંધેરી (કે-પૂર્વ) વોર્ડમાં 0.56 ટકા અને કુર્લા (એલ-વોર્ડ)માં રોગીઓની સંખ્યામાં વધારાનો દર 0.51 ટકા છે.

દાદર, ધારાવી વિસ્તારોમાં આ દર 0.76 ટકા, વરલી, પ્રભાદેવી વોર્ડમાં 0.77 ટકા વધારો છે. ભાયખલાના ઈ-વોર્ડમાં 0.81 ટકા છે જ્યારે અગાઉ જ્યાં કેસોની સંખ્યા ખૂબ વધુ હતી તે ભાંડુપનાન એસ-વોર્ડમાં હાલ પ્રમાણ 0.58 ટકા છે.

વોર્ડ વાર કેસ-વધારાના દરની સ્થિતિ આ મુજબ છેઃ ગ્રાન્ટ રોડ (ડી) 1.4 ટકા, બોરીવલી (આર-મધ્ય) 1.35 ટકા, ચંદનવાડી (સી) 1.18 ટકા, બાન્દ્રા (પશ્ચિમ) – 1.11 ટકા, ભાયખલા (ઈ) 0.81 ટકા, વરલી-પ્રભાદેવી (જી-દક્ષિણ) 0.77 ટકા, દાદર-ધારાવી (જી-ઉત્તર) 0.76 ટકા, ભાંડુપ (એસ) 0.58 ટકા, અંધેરી (પૂર્વ) 0.56 ટકા, સાંતાક્રૂઝ (એચ-પૂર્વ) 0.56 ટકા, કુર્લા (એલ) 0.51 ટકા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular