Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં એકેય દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી

મહારાષ્ટ્રમાં એકેય દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે કોરોના ચેપી બીમારીના ફેલાવા સામે તંત્રની સજ્જતાની ચકાસણી કરવા માટે આવતી 13-14 એપ્રિલે રાજ્યમાં મોક-ડ્રિલ હાથ ધરવામાં આવશે.

સાવંતે નાગરિકોને કહ્યું છે કે તેમણે ગભરાવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવું અને ભીડ થતી હોય એવા સ્થળોએ સાવચેતી રાખવી. હાલ કોવિડ કેસ વધી રહ્યા છે એ ખરું, પરંતુ આ બહુ હળવા પ્રકારનો વેરિઅન્ટ છે, એની ખાસ અસર નથી. તમામ કોવિડ હોસ્પિટલોનાં સત્તાવાળાઓ સાથે મેં વાતચીત કરી છે અને જનતાને અપડેટ આપું કે હાલ આપણા રાજ્યમાં એકેય દર્દી વેન્ટીલેટર કે ઓક્સિજન સપોર્ટ પર નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular