Monday, June 16, 2025
Google search engine
HomeNewsMumbaiઉત્કૃષ્ટ બનારસી વણાટ માટે 'સ્વદેશ' કળાકારોની નીતા અંબાણીએ કરી પ્રશંસા

ઉત્કૃષ્ટ બનારસી વણાટ માટે ‘સ્વદેશ’ કળાકારોની નીતા અંબાણીએ કરી પ્રશંસા

મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણી વર્ષોથી ભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. કળાકારો રામજી અને મોહમ્મદ હારુને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું હતું.

ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો ‘સ્વદેશ’ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા હતા અને કળાપ્રેમીઓ કળાકારોને તેમનું કામ કરતાં પ્રત્યક્ષ નિહાળવાનો ઉત્કૃષ્ટ અનુભવ મેળવી શક્યા હતા. રામજી અને મોહમ્મદ હારુન સહિતના ‘સ્વદેશ’ કળાકારોને નીતા અંબાણી મળ્યાં હતાં અને તેમની પ્રતિભા તથા કળા પ્રત્યેના તેમના સમર્પણની ભરપૂર પ્રશંસા કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular