Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsMumbai‘મહિનાના અંત સુધીમાં મુંબઈ અનલોક થશે’

‘મહિનાના અંત સુધીમાં મુંબઈ અનલોક થશે’

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના કેસ સતત ઘટતા રહ્યા હોવાથી મેયર કિશોરી પેડણેકરે જાહેરાત કરી છે કે આ મહિનાના અંત સુધીમાં શહેરને અનલોક કરી દેવામાં આવશે. એએનઆઈ સમાચાર સંસ્થાને એમણે જણાવ્યું છે કે, મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. શહેરને આ મહિનાના અંત સુધીમાં અનલોક કરી દેવામાં આવશે. અમે નક્કી કરી લીધું છે. પરંતુ લોકો માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું આવશ્યક રહેશે.

મહારાષ્ટ્ર સરકારે આ મહિનાના આરંભમાં મુંબઈમાં કોરોનાવાઈરસ નિયંત્રણોને હળવા કરવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે મુંબઈમાં કોરોનાના નવા 356 કેસ બન્યા હતા, જે 21 ડિસેમ્બર (949)ની સરખામણીએ ઘણા ઓછા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular