Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsMumbaiટીવી સિરિયલના સેટ પર વીજળીનો આંચકો લાગતાં કર્મચારીનું મૃત્યુ

ટીવી સિરિયલના સેટ પર વીજળીનો આંચકો લાગતાં કર્મચારીનું મૃત્યુ

મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરમાં એક ટીવી સિરિયલના શૂટિંગ માટેના સેટ પર વીજળીનો કરંટ લાગતાં યૂનિટના એક કર્મચારીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકનું નામ છે મહેન્દ્ર યાદવ. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ કહ્યું છે કે યાદવને સિરિયલના શૂટિંગ વખતે વીજળીનો આંચકો લાગ્યા બાદ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાંના ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.

ગુપ્તાએ માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકાર મૃતક યાદવના પરિવારજનોને વળતર પેટે રૂ. 50 લાખ ચૂકવે. તદુપરાંત આ સિરિયલના નિર્માતા અને નિર્માણ કંપની સામે પોલીસ કેસ પણ નોંધવામાં આવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular