Sunday, June 15, 2025
Google search engine
HomeNewsMumbaiપાકિસ્તાનની બહુમતી પ્રજા શાંતિ ઈચ્છે છેઃ પવાર

પાકિસ્તાનની બહુમતી પ્રજા શાંતિ ઈચ્છે છેઃ પવાર

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પોતે અંગત અનુભવના આધારે કહી શકે છે કે પાકિસ્તાનમાં, સત્તા પર રહેલા અમુક જણને બાદ કરતાં, એ દેશની બહુમતી સામાન્ય જનતા શાંતિ ઈચ્છે છે.

પત્રકારો સાથેની વાતચીતમાં પવારે કહ્યું કે, પાકિસ્તાનમાં અમુક લોકો એવા જરૂર છે, જેમને રાજકારણ રમવું છે અને લશ્કરની મદદથી સત્તા પર અંકુશ જાળવી રાખવો છે. માત્ર એવા લોકો જ ભારત સાથે ઘર્ષણ અને નફરતની તરફેણ કરે છે. બાકી, બહુમતી જનતા શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય એમ ઈચ્છે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular