Sunday, June 1, 2025
Google search engine
HomeNewsMumbaiડૉ નિરંજના જોશી લિખિત નિબંધસંગ્રહ 'છીપ મોતી શંખ'નું લોકાર્પણ

ડૉ નિરંજના જોશી લિખિત નિબંધસંગ્રહ ‘છીપ મોતી શંખ’નું લોકાર્પણ

મુંબઈઃ ધી કાંદીવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત, ગુજરાતી ભાષા ભવન દ્વારા આયોજિત અને ‘લેખિની’ સંસ્થાના સહયોગથી તારીખ – ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રવિવારે ડૉ નિરંજના જોશી લિખિત નિબંધ સંગ્રહ ‘છીપ મોતી શંખ’નું આદરણીય લેખક દિનકર જોશીના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમનું સંચાલન દિલીપ રાવલ કરશે. સરસ્વતી વંદના જાણીતા ગાયિકા રેખા ત્રિવેદી કરશે.

આ કાર્યક્રમમાં વાચિકમ્ ડૉ પ્રીતિ જરીવાલા અને મૈત્રેયી યાજ્ઞિક કરશે તથા એક નિબંધને નૃત્ય સ્વરૂપે મિથિલા પાધ્યે ભટ્ટ અને મીતા ગોર મેવાડા રજૂ કરશે.

કાર્યક્રમ વાર અને સમય: તારીખ ૧૨ ફેબ્રુઆરી, રવિવાર. સાંજે ચાર વાગ્યે.

સ્થળ: કે.ઈ.એસ. જયંતિલાલ એચ. પટેલ લૉ કોલેજ, બીજે માળે, મથુરાદાસ રોડ તરફ,  ભોગીલાલ પડિયા માર્ગ, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૬૭.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular