Monday, June 16, 2025
Google search engine
HomeNewsMumbai‘મેળા’ને સાહિત્ય દ્વારા અનુભવવાનો લહાવો લેવા જેવો ખરો

‘મેળા’ને સાહિત્ય દ્વારા અનુભવવાનો લહાવો લેવા જેવો ખરો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને કેઈએસ ગુજરાતી ભાષાભવન આ મહિને સાહિત્યના ભાવકો માટે ગોળનું ગાડું લઈને આવ્યા છે. ઉત્તમ સાહિત્યિક કાર્યક્રમોની ઉપરાઉપરી હારમાળામાં શનિવારે ૧૩મી જાન્યુઆરીએ સાંજે છ વાગ્યે ગુજરાતી સાહિત્યમાં મેળો” એ વિષય પર વિવિધ રજૂઆત છે.

જાણીતાં ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી મેળા વિશેનાં ગીતો રજૂ કરશે, જેમાં સંગીત સંકલન કાનજીભાઈ ગોઠીનું છે. ડો. હિતેશ પંડ્યા ” લોકસાહિત્યમાં મેળો” એ‌ વિષય પર વાત કરશે.વરિષ્ઠ કલાકાર પ્રતાપ સચદેવ ત્રણ સર્જકોના ગદ્યખંડનું પઠન કરશે. વિદ્યાર્થીની મીના ચૌહાણ એક કાવ્યનું પઠન કરશે. આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.  આ કાર્યક્રમ જયંતીલાલ પટેલ લો કૉલેજ હોલ, બીજે માળે, કાંદિવલી રિક્રિએશન ક્લબની પાસે, ઓફ મથુરાદાસ રોડ, કાંદિવલી પશ્ચિમના સરનામે છે અને સહુ હાજરી આપી શકે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular