Sunday, June 29, 2025
Google search engine
HomeNewsMumbaiકેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

આવક વેરામાં ખરેખર રાહત મળી છે? સાત લાખ સુધીની મુક્તિ મર્યાદા બાદ વરસે ૧૫ હજારનો લાભ

સ્નેહલ મુઝુમદાર (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

‘Count that day as won when the earth turning on its axis imposes no further taxes.’ એમ આદમ્સે કહ્યું  છે. આ વર્ષના અંદાજપત્રમાં દેખીતી રીતે આવકવેરાના બોજ વધારવામાં આવ્યો નથી એટલે સર્વત્ર રાહત વર્તાય છે. જોકે જોગવાઇઓનું સૂક્ષ્મ અર્થઘટન અને વિશ્લેષણ થશે ત્યારે અણધારી બાબત પ્રકાશમાં લાવી શકે.

કેટલાય વર્ષો સુધી અમુક બચત યોજનાઓ કે વીમા યોજનાઓને આકર્ષક બનાવવા કે કરદાતાઓનું રોકાણ અમુક ક્ષેત્રમાં વધે એ માટે આવકવેરાની જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આને કારણે સમયાંતરે કરવેરાનું માળખું અત્યંત ક્રિષ્ટ બનતું ગયું. છેલ્લા કેટલાક વર્ષોથી સરકારની વિચારધારણા રહી છે કે કરવેરાના કાયદાની ક્રિષ્ટતા ઘટાડવા અને એને વધુ યોગ્ય અને ન્યાયી બનાવવા એક બાજુ આવકવેરા હેઠળ મળતી વિવિધ રાહતો અને કપાતો ઓછી કરવી અને બની શકે તો નાબૂદ કરવી અને બીજી બાજુ કરવેરાના દર ઘટાડવા. આ ઉપરાંત કરવેરાના કાયદાને સામાજિક ન્યાયનું સાધન ન બનાવવું.

આ દિશામાં બેએક વર્ષ પહેલા નાણાપ્રધાને એક નવી વૈકલ્પિક યોજના દાખલ કરી હતી, જેમાં મહદ્ અંશે આવકવેરાની રાહતો અને કપાતો બાકાત રાખવામાં આવી હતી અને એની સામે એ યોજના હેઠળ આવકવેરાના દર પણ ઘટાડવામાં આવ્યા હતા. અનેક કારણોસર એ નવી વૈકલ્પિક યોજનાને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. અનેક કરદાતાઓ જૂની યોજના પ્રમાણે જ આવકવેરો ભરતા રહ્યા, જેમાં મુખ્ય કારણ જૂની યોજના હેઠળ આવકવેરો ભરવાનો ઓછો આવતો હતો. નવી વૈકલ્પિક યોજનાને વધુ આકર્ષક બનાવવા અંદાજપત્ર ૨૦૨૩માં નાણાંપ્રધાને કરદાતાને આવકવેરાની સામે મળતી મુક્તિમર્યાદામાં વધારો કર્યો છે. અત્યાર સુધી જૂની તેમ જ નવી વૈકલ્પિક યોજનામાં કરમુક્ત આવકની મર્યાદા રૂ. અઢી લાખની હતી અને રૂ. પાંચ લાખ સુધીની આવક પર રિબેટને કારણે આવકવેરો લાગતો ન હતો. અંદાજપત્રની સૂચિત જોગવાઈઓ પ્રમાણે માત્ર નવી વૈકલ્પિક યોજના માટે આ મુક્તિમર્યાદા વધારીને રૂ. ત્રણ લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત રિબેટની જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેને કારણે નવી યોજના હેઠળ રૂ. સાત લાખ સુધીની આવક પર આવકવેરો ભરવો નહીં પડે.

વરસે લાભ માત્ર ૧૫ હજાર રૂપિયાનો?

નવી વૈકલ્પિક યોજના હેઠળ આવકવેરાના છ પ્રકારના દર હતાં જે ઘટાડીને હવે પાંચ પ્રકારના કરવામાં આવ્યા છે. આને કારણે રૂ. ૯.૦૦ લાખ સુધીની આવક ધરાવનારને રૂ. ૧૫ હજારનો અને રૂ. ૧૫.૦૦ લાખની આવક ધરાવનારને રૂ. ૨૭ હજારનો આવકવેરો બચશે. અત્યાર સુધી નવી વૈકલ્પિક યોજના હેઠળ પગાર સામે મળતા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું ન હતું. અંદાજપત્રની જોગવાઇ અનુસાર નવી વૈકલ્પિક યોજના હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન પ્રાપ્ત થશે.

આવકવેરાની કલમ ૫૪ હેઠળ ૧૦ કરોડની મર્યાદા

આવકવેરાની કલમ 54 અને 54F હેઠળ ઘર કે અન્ય અસ્કયામતના વેચાણની સામે અન્ય ઘર લેવામાં આવે તો તે અંશે વેચાણ પર લાગતા કેપિટલ ગેઇનમાં અંશત: કે પૂર્ણ મુક્તિ મળે છે. અંદાજપત્ર ૨૦૨૩ માં આ બન્ને કલમો હેઠળ મળતા લાભ પર રૂ. ૧૦ કરોડની મર્યાદા લગાડવામાં આવી છે. નિવૃત્તિવેળા પગારદાર કરદાતાને મળતી વણવપરાયેલી લીવ એન્કેશમેન્ટની રકમ રૂ. ૩ લાખ સુધી કરપાત્ર ન હતી. આ મર્યાદા વધારીને ૨૫ લાખ કરવામાં આવી છે.

નાણાંપ્રધાને કેટલાક દિવસો પહેલા નિર્દેશ કર્યો હતો કે મધ્યમ વર્ગને અંદાજપત્ર ૨૦૨૩માં રાહત આપવામાં આવશે. એકંદરે અંદાજપત્રની આવકવેરાની જોગવાઇઓ મધ્યમ વર્ગ માટે આવકાર્ય રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular