ફાઈનાન્સિયલ સેક્ટરને અગ્રક્રમ
લલિત કુમાર (કોર્પોરેટ લૉ ફર્મ જેએસએના ભાગીદાર)
બજેટમાં જે સાત અગ્રક્રમો રાખવામાં આવ્યા છે, તેમાં ફાઈનાન્સિયલ સેક્ટરનો સમાવેશ થાય છે. સરકારે વર્ષાનુવર્ષ નાણાકીય ક્ષેત્રને વેગ આપવા માટેનાં પગલાં લીધાં છે અને આ વર્ષે મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ વર્ષે સર્વસમાવેશક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એમએસએસઈને 1 એપ્રિલ, 2023થી ધિરાણ ક્રેડિટ આપવા માટે રૂ.9000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે વિકાસને વેગ આપશે. ધિરાણનો ખર્ચ એક ટકા નીચો આવશે એ વર્તમાન ફુગાવાના સમયમાં રાહતપૂર્ણ બની રહેશે.
અન્ય એક ચાવીરૂપ સુધારો ફાઈનાન્સિયલ ક્ષેત્રના બધા નિયમનો માટે ‘જાહેર સલાહવિમર્શ’ કરવામાં આવશે તે છે. અત્યારે વિવિધ નિયામકોના એકબીજાથી વિરુદ્ધ નિયમનો પ્રવર્તે છે. આ સુધારાને કારણે અનુપાલન અને વેપારમાં સરળતા થશે.