Monday, June 30, 2025
Google search engine
HomeNewsMumbaiકેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

નિર્મલા સીતારમણનું બોલ્ડ અને બ્રોડ બજેટ

નિલેશ શાહ- (કોટક મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપની- મેનેજિંગ ડિરેકટર-પ્રેસિડન્ટ)

ઈન્ફ્રાસ્ટ્રકચર, શિક્ષણ, તાલીમ, કૃષિ- ગ્રામ્ય વિકાસ, વપરાશ અને વેરા રાહતો,  નાણાં શિસ્ત, વગેરે સાથે ઈન્કલુઝિવનેસનો સમાવેશ

વરસ ૨૦૨૩-૨૪નું કેન્દ્રિય બજેટ ‘બાહુબલી બજેટ’ કહી શકાય. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ બજેટ મારફત એક તીરે ત્રણ નિશાન વિંધ્યા યા તાકયા છે.  નિર્મલા સીતારમણે આ અમૃત કાળ માટેનું અંદાજપત્ર રજૂ કરીને એકસાથે ઘણા ધ્યેયને પાર પાડવાનું વિરાટ કદમ ભર્યુ છે. જોકે સરકારે અર્થતંત્રના ક્રિટીકલ -પાયાના મુદાઓથી ધ્યાન હટાવ્યું નથી. નાણાં પ્રધાને પર્સનલ ટેકસને રેશનલ-વ્યવહારું બનાવીને-તેમાં રાહત આપીને લોકોના હાથમાં વધુ નાણાં બચી શકે અને તેના દ્રારા વપરાશ વધી શકે એવી જોગવાઈ કરી છે.  આ ઉપરાંત ૧૦ લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે મુડીખર્ચ રુપે ફાળવ્યા છે, જે ૨૦૧૯-૨૦ ના ખર્ચ કરતા ત્રણ ગણી વધુ ફાળવણી છે. આને પગલે વિકાસને વેગ મળશે. આ રકમ જીડીપીના ૩.૩ ટકા જેટલી થાય છે. જયારે કે ફિસ્કલ પ્રુડન્સ (રાજકોષીય વ્યવહારદક્ષતા) જાળવીને  તેમણે સર્વસમાવેશવાળો અભિગમ રાખ્યો છે. અર્થાત વિકાસનો લાભ છેલ્લા માનવી સુધી પહોંચતો કરવાનું લક્ષ્ય કહી શકાય. આમ નાણાં પ્રધાને બહુ સમજી-વિચારીને એક તીરે ત્રણ પાયાના નિશાન પાર પાડવાની નીતિ અપનાવી છે.

વિકાસલક્ષી બજેટ રજૂ કરવા સાથે સરકારે આગામી બે થી ત્રણ વરસમાં ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ) ધીમે-ધીમે નીચે લાવવાની તેની મકકમતા દર્શાવી છે. નોંધનીય વાત એ છે કે સરકાર આ માર્ગ પર ચાલી રહી હોવાનું પ્રતિત થાય છે.

કરરાહત મારફત વપરાશ વધારવાનો અભિગમ

અંદાજપત્રએ આવકવેરાની મુકિત મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરીને સામાન્ય માનવી (કોમન મેન) ને રાજી થવા માટે કારણ આપ્યું છે. આનો અર્થ એ થાય કે વ્યકિતની વાર્ષિક સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ભરવાનો આવશે નહી. આ સાથે બજેટે ટેકસ સ્લેબમાં પણ ફેરફાર કર્યા છે, જેનાથી લોકોના હાથમાં નાણાંની બચત થશે અને તેને પરિણામે વપરાશ વધવાનો અવકાશ રહેશે. નાણાં પ્રધાને ઊંચી આવક વાળા વર્ગ પર લાગુ થતા ઊંચા સરચાર્જમાં પણ રાહત જાહેર કરી છે, આ પીક સરચાર્જ નવી સૂચિત કરપ્રાણલી હેઠળ ૩૭ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરાયો છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસનો લાભો

દેશની માળખાંકીય સુવિધા (ઈન્ફ્રાસ્ટ્રકચર) પર સતત ધ્યાન કેન્દ્રિત કરતી મોદી સરકારે  છેલ્લા ત્રણ વરસથી દર વરસે તે માટેનો કેપિટલ ખર્ચ વધારવાની નીતિ અપનાવી છે. જંગી મુડીખર્ચનું સુપરિણામ એ આવે છે કે તેને લીધે અર્થતંત્રને વેગ મળે છે તેમ જ સંબંધિત કે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉધોગો પર પણ સારી અસર થાય છે. આના લાભ મોટી કંપનીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રની નાની-મધ્યમ કદની કંપનીઓને પણ થાય છે. સેકટર વાઈઝ જોઈએ તો સરકારે એમએસએમઈ (માઈક્રો, સ્મોલ, મિડીયમ એન્ટરપ્રાઈસિસ) પર ફોકસ રાખ્યું  છે. જેમ કે તેમને ડિજિલોકર સુવિધા આપવી, તેમને વેલ્યૂચેઈનમાં સમાવી લેવા, કે પછી તેમની ક્રેડિટ ગેરેન્ટી સ્કિમને રિવેમ્પ કરવી. આ બજેટમાં સરકારે આ સ્કિમ માટે વધુ ૯૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

છેવાડાના માનવી સુધી

ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત સરકારનું ધ્યાન ઈન્કલુઝિવ ડેવલપમેન્ટ પર઼થી ખસ્યું નથી. આ માટે ગ્રામ્ય વિકાસ યોજનાઓ માટે કરાતી ફાળવણી વરસોથી ચાલુ રહી છે. વધુમાં એફોર્ડેબલ હાઉસિંગ માટેની ફાળવણી પણ ૭૯૦ અબજ રૂપિયા જેટલી ઊંચી રહી છે.  આમાં હાઉસિંગ ફોર ઓલ ( દરેક માટે ઘર) નું સરકારનું વિઝન પ્રગટ થાય છે. ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં રેલ્વે અને રોડસ આવે છે, જેમાં દેશભરમાં વસતા લોકો માટે કનેકટિવટી સરળ-ઝડપી બનાવવાનું લક્ષ્ય છે. જેથી રોજગાર સર્જનનો અવકાશ અને તકો વધે, જે ઈકોનોમીના સર્વાગી હિતમાં છે.

નાના પણ મહત્વના કદમ

યુવા વર્ગ માટે શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટનો મુદો પણ સરકારના અગ્રક્રમે રહયો છે.  આ હેતુસર બજેટે વિવિધ મેડિકલ સંબંધિત કોર્સિસ, યુવાનો અને શિક્ષકોને તાલીમ, વગેરેને આવરી લઈ તેની માટે ફાળવણી કરી છે. આ ઉપરાંત સરકારે બજેટ માર્ગે અનેક નાના-નાના પણ મહત્વના કદમ ભર્યા છે, જેમાં બિઝનેએસ કરવાનું સરળ બનાવવું (ઈઝ ટુ ડુ બિઝનેસ),  ટેકસ કમ્પલાયન્સ માટે પ્રોત્સાહન આપવા, કરવેરા સંબંધી વિવાદોમાં ઘટાડો કરવો, સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને ઉત્તેજન આપવું,ડિજિટલના સ્વીકારને પ્રોત્સાહિત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ છેવટના માણસ સુધી લઈ જવાનો સમાવેશ થાય છે.

વીમા પોલીસીના વેચાણ પર અસર સંભવ

કરવેરાના મોરચે, વ્યક્તિગત આવકવેરામાં વિવિધ લાભો આપવામાં આવ્યા છે. સરકારે વર્તમાન કર આર્બિટ્રેજને ઘટાડવાનું ચાલુ રાખ્યું છે અને કર અનુપાલનમાં સુધારો કરાયો છે. દાખલા તરીકે, સરકારે દરખાસ્ત કરી છે કે પહેલી એપ્રિલ 2023ના રોજ અથવા તે પછી ઈશ્યુ કરાયેલી તમામ પોલિસીઓ ( યુલિપ સિવાય)ના પાકતી મુદતના લાભો, એક વર્ષમાં પાંચ લાખ રૂપિયાનું પ્રીમિયમ અથવા કુલ પ્રીમિયમ ધરાવતી હોય તો તે કરપાત્ર બનશે. આ દરખાસ્તને પગલે ઈન્સ્યુરન્સ કંપનીઓની નવી પોલિસીઓના વેચાણ પર અસર થશે અને ખાસ કરીને એન્ડાઉમેન્ટ કે નોન-પાર પોર્ટફોલિયો પર વિશેષ અસર થશે, જે ઈન્સ્યુરન્સ ક્ષેત્ર માટે મુખ્યત્વે નકારાત્મક પુરવાર થશે. એ ઉપરાંત માર્કેટ લિન્ક્ડ ડિબેન્ચર્સ (લિસ્ટેડ સિક્યુરિટીઝ હોઈ) તેના પરનો લાભ ઈન્ડેક્સેશન વિના લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ગણવામાં આવશે. કરવેરામાં સૂચિત ફેરફાર વેરાના આર્બિટ્રેશનના છીંડાને પુરી દે છે અને તેથી પ્રોડક્ટના આકર્ષણમાં ઘટાડો થઈ શકે છે અને તેથી ઈશ્યુઅરો અને ડિસ્ટ્રિબ્યુટરોને તેની સમાન અસર થશે. રિયલ એસ્ટેટના મોરચે સરકારે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 54 અને સેક્શન 54એફ હેઠળ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સની રૂ.10 કરોડ પર સીમિત કર્યો છે. આના કારણે હાઈ-નેટ વર્થ ધરાવતી વ્યક્તિઓના ડિડક્શન્સમાં ઘટાડો થશે.

 સરકારનો સંયમ

અમે માનીએ છીએ કે કેન્દ્રનું નાણાકીય વર્ષ 2024 માટેનું બજેટ સર્વાંગી વિકાસ, ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાની, ટેકનોલોજી આધારિત પહેલો અને વેપારમાંના અવરોધોમાં ઘટાડો કરવાની વિચારધારાને દર્શાવે છે.અમે માનીએ છીએ કે 2024માં ચૂટણીઓ આવી રહી હોવા છતાં સરકારે સંયમ દાખવ્યો છે અને વિકાસ પર બહુગુણાત્મક અસર ઉપજાવવા મૂડીખર્ચમાં વધારો કરવાનું અને લોકપ્રિય પગલાં ભણી ન વળવાનું પસંદ કર્યુ છે.

સરકારના ફોકસની ફાઈન પ્રિન્ટ

બજેટે ફુગાવાનો સામનો કરવા અંતિમ વપરાશકારોને વેરાની રાહતો વધારી આપ્યો છે, જેથી તેઓ વપરાશ ન ઘટાડે. બજારના દૃષ્ટિકોણથી અમે માનીએ છીએ કે બજેટે કુલ દેવાના આંકડામાં કોઈ વધારો કર્યો નથી એથી બોન્ડ્સ પરનાં યિલ્ડ ઘટશે એની ટીકા કરવાને બદલે ખુશ થવું જોઈએ. ઈક્વિટી મૂડીરોકાણની દૃષ્ટિએ બજેટ બજાર માટે સારો ઉદ્દીપક બની રહેશે.

જોકે વિશ્વનાં બજારોની તુલનાએ દેશની બજાર પ્રીમિયમે ટ્રેડ થઈ રહી છે અને બજેટ બાદના કાળને એ જ પરિપ્રેક્ષ્યમાં જોવો જોઈએ. બજેટે સરકારના ફોકસની ફાઈન પ્રિન્ટ રજૂ કરી છે. સરકારનું ફોકસ ઉત્પાદકતામાં અને કાર્યક્ષમતામાં વધારો અથવા યોગ્ય દિશામાં ખર્ચ કરવા પર છે. અમે માનીએ છીએ કે દિશા યોગ્ય છે અને સરકારે ખરેખર “અમૃત કાલ” માટેનું બજેટ રજૂ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular