જીવન વીમા બાબતે થયેલો ફેરફાર ધ્યાનપૂર્વક સમજવા જેવો છે
રિઝર્વ બૅન્કના અર્થશાસ્ત્રીઓના જૂથે તેમના ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી રિપોર્ટ’માં જે લખ્યું છે તેના આધારે યુનિયન બજેટ ૨૦૨૩નો સૂર પહેલેથી જ સ્પષ્ટ થઈ ગયો હતો. એમણે કહ્યું હતું, “શક્તિશાળી તત્ત્વોને મુક્ત કરવામાં આવી રહ્યાં છે, જેથી તેઓ વૈશ્વિક વ્યવસ્થાને નવું રૂપ આપી શકવા સમર્થ બને.”
જીવન વીમા માટેની દરખાસ્તમાં મુખ્ય ફેરફારોઃ
પાકતી મુદતેઃ વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુનું પ્રીમિયમ ધરાવતી વીમા પૉલિસી (યુલિપ સિવાયની)માંથી મળતી આવક ૧ એપ્રિલ, ૨૦૨૩થી કરપાત્ર હશે. ટેક્સ ફક્ત ૧ એપ્રિલ, ૨૦૨૩થી ખરીદેલી પોલિસી પર જ લાગશે.
કરલાભઃ જો ચૂકવાયેલા પ્રીમિયમ પર ૮૦સીનો કરલાભ લીધો હોય તો પાકતી મુદતે મળતી સંપૂર્ણ રકમ સ્લેબ પ્રમાણે કરપાત્ર બનશે. જો ૮૦સી હેઠળ લાભ લીધો નહીં હોય તો પાકતી રકમમાંથી પ્રીમિયમની રકમ બાદ કરીને બાકી બચતો નફો ટેક્સ સ્લેબ પ્રમાણે કરપાત્ર બનશે. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં લીધેલી પૉલિસીઓમાં પાકતી મુદતે મળતી ગમે તેટલી રકમ કરમુક્ત હશે.
મૃત્યુની સ્થિતિમાં કરાયેલો ક્લેમઃ વીમાધારકના મૃત્યુની સ્થિતિમાં મળેલી વીમાની રકમને મળેલી કરમુક્તિને ઉક્ત જોગવાઈ લાગુ નહીં પડે.
આમ, આ ફેરફાર ધ્યાનપૂર્વક સમજવા જેવો છે.