સરકારનો અભિગમ સૌને નવી કરપ્રણાલી તરફ વાળવાનો
પરેશ કપાસી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)
આ વખતનું બજેટ સકારાત્મક છે. આ બજેટમાં નાના અને મધ્યમ વર્ગ માટે પ્રોત્સાહન છે. બજેટ એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ જેવા તમામ સેક્ટરને બુસ્ટર આપશે.
રૂ. 7 લાખ સુધીની મુક્તિ મર્યાદામાં વધારો અને રૂ. 15 લાખ સુધીનો 20% ટેક્સ પણ વ્યક્તિગત કરદાતાઓને રાહત આપશે. નવી આવકવેરા પ્રણાલીમાં મધ્યમ વર્ગને થોડી રાહત આપવામાં આવી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર જૂનામાંથી નવા કર માળખાં તરફ વળવા માંગે છે. નવી કર પ્રણાલીને વધુ સારી બનાવવામાં આવી છે, જે ધીમે ધીમે જૂની કરવેરા વ્યવસ્થાને નિરર્થક બનાવે છે
સરકારે સેક્શન 54 અને 54F હેઠળ રહેણાંક મકાનમાં રોકાણ પરના મૂડી લાભમાંથી કપાતને રૂ. 10 કરોડ કરવાની દરખાસ્ત કરી હતી.