Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsMumbaiઅકાદમી, ઝરૂખોના ઉપક્રમે જવાહર બક્ષી સાથે સંવાદ

અકાદમી, ઝરૂખોના ઉપક્રમે જવાહર બક્ષી સાથે સંવાદ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો: શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ’ના સહયોગમાં ‘શબ્દસાધક શ્રેણી’ હેઠળ ‘જવાહર-વિશેષ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ જવાહર બક્ષી સ્વરચિત ગઝલોની સફર કરાવશે. તે ઉપરાંત તેમની સર્જનયાત્રા વિશે પ્રા. અશ્વિન મહેતા સંવાદ સાધશે અને સ્વરકાર-ગાયક મૈધિશ વૈદ્ય તરન્નુમમાં ગઝલો રજૂ કરશે.

કાર્યક્રમનું સંયોજન પ્રતિમા પંડ્યા અને અને સંચાલન સંજય પંડ્યાનું છે. શનિવાર તા. ૫ નવેમ્બરે સાંજે ૭.૧૫ વાગ્યે સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્વિમ), મુંબઈ ખાતે આ કાર્યક્રમ યોજાશે. પ્રવેશ નિઃશુલ્ક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular