Friday, June 20, 2025
Google search engine
HomeNewsMumbaiવાવાઝોડાને કારણે 580 કોરોના દર્દીઓને સુરક્ષિત કેન્દ્રોમાં ખસેડી દેવાયા

વાવાઝોડાને કારણે 580 કોરોના દર્દીઓને સુરક્ષિત કેન્દ્રોમાં ખસેડી દેવાયા

મુંબઈઃ સમુદ્રી વાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈમાં પણ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર એનો સામનો કરવા સજ્જ થઈ ગયું છે. દહિસર, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી), મુલુંડ સ્થળોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા સંચાલિત જમ્બો કોવિડ-19 કેન્દ્રોમાંથી કોરોનાવાઈરસના સારવાર હેઠળના 580 દર્દીઓને અન્ય સુરક્ષિત કેન્દ્રો કે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડું ‘તાઉ’તે’ આજે રાતે મુંબઈની નજીકથી પસાર થાય એવી સંભાવના છે. પાલિકાએ બાન્દ્રા-વરલી સી લિન્કને બે દિવસ માટે બંધ કરાવી દીધો છે. આ જાહેરાત શહેરનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે કરી છે. શહેરના અનેક બીચ પર તાકીદની બચાવ કામગીરી હાથ ધરવા માટે 100 જેટલા લાઈફગાર્ડ્સને ગોઠવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે રવિવાર-સોમવારે મુંબઈ, થાણે, રાયગડમાં ભારે વરસાદ પડી શકે છે. રાયગડમાં ગઈ કાલે રાતે વીજળીના કડાકાભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular