Monday, June 9, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ-પ્રધાનના ઘર પર કાળો રંગ ફેંક્યો

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ-પ્રધાનના ઘર પર કાળો રંગ ફેંક્યો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC ) – એસ.ટી. બસ કર્મચારીઓની હડતાળનો વિરોધ કરી રહેલા કેટલાક લોકોએ આજે સવારે રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના અત્રેના સત્તાવાર નિવાસસ્થાન પર કાળો રંગ ફેંક્યો હતો. એ લોકો જનશક્તિ સંઘટનાનાં કાર્યકર્તાઓ હતા. એમણે પ્રધાનના નિવાસસ્થાનની બહાર હડતાળના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને પછી પ્રવેશદ્વાર પાસે કાળો ડામર ફેંક્યો હતો. પોલીસે એમાંના ચાર-પાંચ જણને અટકમાં લીધા છે. મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓની હડતાળનો આજે 16મો દિવસ છે.

MSRTCના હડતાળીયા કર્મચારીઓની માગણી છે કે નિગમનું રાજ્ય સરકાર સાથે વિલિનીકરણ કરવામાં આવે, પરંતુ સરકારે હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. શિવસેનાના નેતા અને મુંબઈના વિધાનસભ્ય (વિધાન પરિષદ સભ્ય) અનિલ પરબ MSRTCના ચેરમેન પણ છે. એમની વિનંતી છતાં એસ.ટી. કર્મચારીઓ એમની હડતાળ પાછી ખેંચવા તૈયાર નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular