Sunday, June 1, 2025
Google search engine
HomeNewsMumbaiશિર્ડી સંસ્થા સાઈભક્તો તરફથી દાનમાં મળેલું રક્ત જરૂરિયાતમંદોને મફતમાં આપશે

શિર્ડી સંસ્થા સાઈભક્તો તરફથી દાનમાં મળેલું રક્ત જરૂરિયાતમંદોને મફતમાં આપશે

શિર્ડી (મહારાષ્ટ્ર): શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડીની યોજાઈ ગયેલી ત્રણ-સદસ્યની સમિતિની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રેના સાઈબાબા મંદિર પરિસરમાં ભક્તો તરફથી જે રક્ત દાન કરવામાં આવે છે તે હવે જરૂરિયાતમંદ નાગરિકોને મફતમાં આપવામાં આવશે. આ નિર્ણય શિર્ડીની બહાર રહીને રક્ત એકત્ર કરતી બ્લડ બેન્કોને પણ લાગુ પડશે. એમણે પણ દર્દીઓને આ રક્ત મફતમાં આપવાનું રહેશે.

શિર્ડી દેવસ્થાન ખાતે તેમજ શિર્ડીમાં અવારનવાર યોજાતી રક્તદાન શિબિરમાં અનેક દાતાઓ રક્તનું દાન કરતાં હોય છે. હવે એ રક્ત જરૂરિયાતમંદ લોકોને મફતમાં આપવામાં આવશે. મંદિર સંસ્થાન સંબંધિત દર્દીઓનો સંપર્ક કરશે અને સમર્થન મેળવશે. રક્તની થેલીઓ પર સંસ્થાનનું ટેગ મૂકાશે અને લખાણ મૂકાશે કે ‘આ રક્ત વેચાણ માટે નથી.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular