Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiઆવતીકાલે મુંબઈમાં યોજાશે “ભાષાને શું વળગે ભૂર” કાર્યક્રમ

આવતીકાલે મુંબઈમાં યોજાશે “ભાષાને શું વળગે ભૂર” કાર્યક્રમ

ગુજરાતી સાહિત્ય જેટલું સમૃદ્ધ છે એટલું જ અન્ય ભાષાઓનું સાહિત્ય પણ સમૃદ્ધ છે. બીજી ભાષાઓમાંથી કંઈક ઉત્તમ ગુજરાતી ભાવકો સુધી પહોંચે એવા આશયથી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી કેઈએસ સંચાલિત ગુજરાતી ભાષાભવનના સહયોગમાં એક રસપ્રદ આયોજન કર્યું છે.

“ભાષાને શું વળગે ભૂર” ટાઈટલ હેઠળ આ કાર્યક્રમમાં મુંબઈ સમાચારના ભૂતપૂર્વ તંત્રી તથા લેખિકા પિંકી દલાલ, કન્નડ ભાષાની ખૂબ વખણાયેલી નવલકથા “આવરણ” (લેખક: ડૉ.એસ.એલ.ભૈરપ્પા) વિશે વાત કરશે.

અગાઉ પત્રકારત્વ તથા ટીવી શોઝ સાથે સંકળાયેલાં હેતલ દેસાઈ ક્રિષ્ના સોબતીની હિન્દી ભાષામાં લખાયેલી સંસ્મરણ કથા ‘ગુજરાત હિયર, અ ગુજરાત ધેર’ વિશે વાત કરશે. આ કથામાં પાકિસ્તાનમાં આવેલા ગુજરાતની વાત છે. જ્યારે કવયિત્રી પ્રતિમા પંડ્યા મન્નુ ભંડારીની હિન્દી ભાષામાં લખાયેલી નવલકથા “આપકા બંટી” વિશે વાત કરશે.

આ કાર્યક્રમનું સંચાલન મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજનાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા સંશોધક ડૉ.દર્શના ઓઝા કરશે.

નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન ત્યાં હાજર શ્રોતાઓ પણ પોતાના પ્રશ્નો પૂછી શકે છે.

આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કરનાર કવિ સંજય પંડ્યા છે. તો રાહ કોની જોવાની તમે પણ આ કાર્યક્રમનો ભાગ બનવાની ઈચ્છા રાખતા હોય તો પહોંચી જાઓ ૧૮ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૫.૩૦ વાગ્યે કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલ , ઈરાની વાડી, હેમુ કલાની ક્રોસ રોડ નંબર ૩, એશિયન બેકરીની સામેની ગલીમાં , કાંદીવલી પશ્ચિમના સરનામ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular