Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsMumbai'ઝરૂખો'માં કર્ણની પત્ની `વૃષાલી'ને આલેખતી નવલકથા વિશે વાર્તાલાપ

‘ઝરૂખો’માં કર્ણની પત્ની `વૃષાલી’ને આલેખતી નવલકથા વિશે વાર્તાલાપ

મુંબઈઃ ‘આપણું આંગણું’ બ્લૉગ અને ‘ઝરૂખો’ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા. ૬ મે, સાંજે ૭.૨૦ વાગ્યે કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે કરવામાં આવ્યું છે. તેમાં લેખક જિજ્ઞેશ અધ્યારુ પોતાની નવલકથા ‘વૃષાલી’ના સંદર્ભે વક્તવ્ય આપશે. મહાભારતમાં કર્ણનું પાત્ર જેટલું જાણીતું છે એટલું એની પત્ની વૃષાલીનું પાત્ર જાણીતું નથી.

લેખકે વિશદ સંશોધન કરી વૃષાલીના મનોભાવોને આલેખતી નવલકથા લખી છે. આ નવલકથા આધારિત એકોક્તિનું ભાવવાહી પઠન ડૉ. મંજરી મુઝુમદાર કરશે. ‘ઝરૂખો’ના સંચાલક સંજય પંડ્યા મહાભારતના વિવિધ સંદર્ભે લેખક સાથે પ્રશ્નોત્તરી કરશે.

સર્વ સાહિત્યરસિકોને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું જાહેર આમંત્રણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular