Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsMumbaiરીલ્સ બનાવવાના ચક્કરમાં મુંબઈની ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરનું મોત

રીલ્સ બનાવવાના ચક્કરમાં મુંબઈની ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરનું મોત

મુંબઈ: ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રાવેલ પોસ્ટ માટે સમાચારમાં રહેતી આન્વી કામદારનું અવસાન થયું છે. મુંબઈ નજીક રાયગઢમાં ધોધમાં પડી જતાં આન્વીનું મોત થયું હતું. આન્વીને ફરવાનો શોખ હતો. તેણે આ ઝનૂનને પોતાની કારકિર્દી બનાવી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાયગઢના કુંભે ધોધની સુંદરતાને કેમેરામાં કેદ કરતી વખતે આન્વીનો અકસ્માત થયો હતો. જેમાં તેનું મોત થયું હતું. આન્વી કામદારના ઈન્સ્ટાગ્રામ પર બે લાખ 54 હજારથી વધુ ફોલોઅર્સ હતા. આન્વીએ સીએનો અભ્યાસ કર્યો હતો અને થોડો સમય ડેલોઈટ નામની કંપનીમાં પણ કામ કર્યું હતું. મુંબઈના મલાડમાં રહેતી આન્વી કામદાર ચોમાસા દરમિયાન ધોધનું શૂટિંગ કરવા ગઈ હતી.

300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જવાથી મોત

અધિકારીઓએ જણાવ્યું કે આન્વી કામદાર રીલ શૂટ કરતી વખતે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટના રાયગઢ નજીક કુંભે ધોધમાં થઈ હતી. આન્વી 16 જુલાઈના રોજ સાત મિત્રો સાથે ધોધ પર ફરવા ગઈ હતી. એવામાં અચાનક આજે ખબર મળી કે આન્વી વીડિયો શૂટ કરતી વખતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કટોકટીની પ્રતિક્રિયા આપી અને એક બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી. કોસ્ટ ગાર્ડ દળોની સાથે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પાસેથી વધારાની મદદ માંગવામાં આવી હતી પરંતુ આન્વીને બચાવી શકાઈ ન હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના બાયોમાં પોતાનો પરિચય આપતાં આન્વીએ લખ્યું છે ‘ટ્રાવેલ ડિટેક્ટીવ’. આન્વીને ફરવાનો અને સારી જગ્યાઓ વિશે માહિતી આપવાનો શોખ હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular