Saturday, June 28, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ: આ વખતે 'ઝરૂખો' માં લોખંડી પુરુષ સરદાર પટેલની થશે વાત

મુંબઈ: આ વખતે ‘ઝરૂખો’ માં લોખંડી પુરુષ સરદાર પટેલની થશે વાત

મુંબઈ: મુંબઈમાં ગુજરાતી કલાપ્રેમીઓ દ્વારા કંઈકને કંઈક સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. બોરીવલી ખાતે ‘ઝરુખો’ નામનો કાર્યક્રમ યોજાતો હોય છે. ફરી એકવખત આ કાર્યક્રમનના આયોજનની તૈયારી થઈ ગઈ છે.

ભારતના સ્વતંત્રતા પૂર્વના તથા સ્વતંત્રતા પછીના ત્રણ વર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલે મુત્સદીગીરીની પોતાની આગવી છાપ મૂકી છે.એ સમયના સહુથી બળૂકા નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા હતા.બીજી તરફ એમના દીકરી મણિબહેન સાદાઈ, સેવા અને સરળતાનાં મૂર્તિ હતાં. સેવાનો કોઈ પર્યાય નથી એવું તેઓ માનતાં. નાની ઉંમરથી તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયાં અને પછીથી પિતાને એમના કાર્યોમાં મદદરૂપ થવા એમણે પૂર્ણ સમય આપ્યો.

સાહિત્યિક સાંજ “ઝરૂખો”માં આ વખતે જાણીતાં લેખિકા ગીતા માણેક એમનાં પુસ્તક ‘સરદાર, ધ ગેમ ચેન્જર’ વિશે વાત કરશે. આ પુસ્તકનો હિંદી તથા અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ થયો છે અને હિંદીમાં ટેલિ સિરિયલ પણ બની છે. આ સાથે ‘મણિબહેન: એક સમર્પિત જીવન ‘ પુસ્તક વિશે લેખિકા મેધા ત્રિવેદી વાત કરશે. બંને પુસ્તકના કેટલાક અંશનું વાચિકમ પણ થશે.

સાઈબાબા મંદિર, બોરીવલી ખાતે 16 નવેમ્બરને શનિવારે આ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. આ જાહેર કાર્યક્રમમાં રજૂ થનારી અજાણી રસપ્રદ વાતો સાંભળવા માટે દરેક સાહિત્યક રસિક તેમાં જોડાઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular