Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalઅવિશ્વાસ પ્રસ્તાવઃ 2019માં કરેલી PM મોદીની ભવિષ્યવાણી થઈ વાયરલ

અવિશ્વાસ પ્રસ્તાવઃ 2019માં કરેલી PM મોદીની ભવિષ્યવાણી થઈ વાયરલ

2018ના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે 7 ફેબ્રુઆરી, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જ્યારે વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓએ 2023માં પણ આવો જ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરવી જોઈએ. 2018માં લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું તમને શુભેચ્છા પાઠવું છું કે તમે એટલી તૈયારી કરો કે તમને 2023માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો મોકો મળે. સરકારી સૂત્રોએ પીએમ મોદીના સંબોધનના આ ભાગને તેમની “ભવિષ્યવાણી” દર્શાવતા શેર કર્યો છે.

વિપક્ષી પાર્ટીના એક સભ્યને જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ અહંકારનું પરિણામ છે કે એક સમયે 400થી વધુ કોંગ્રેસની સીટોની સંખ્યા 2014ની લોકસભા ચૂંટણીમાં ઘટીને 40ની આસપાસ આવી ગઈ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular