Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં 24 કલાકમાં 242 તાલુકામાં મેઘરાજાની બેટિંગ

ગુજરાતમાં 24 કલાકમાં 242 તાલુકામાં મેઘરાજાની બેટિંગ

ગુજરાતમાં 24 કલાકમાં 242 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં 12.2 ઈંચ છે. તેમજ જલાલપોરમાં 11 ઈંચ, જુનાગઢમાં 10 ઈંચ સાથે ઉમરાળામાં 8 ઈંચ, ખેરગામમાં 7.2 ઈંચ વરસાદ આવ્યો છે.

મેંદરડા અને ખંભાળિયામાં 7 ઈંચ મેઘમહેર

મેંદરડા અને ખંભાળિયામાં 7 ઈંચ, વલ્લભીપુરમાં 6.6 ઈંચ સાથે ગણદેવીમાં 6.4 ઈંચ, વિસાવદરમાં 6 ઈંચ, દહેગામ, પારડી અને વાલોડમાં 4 ઈંચ તથા મહુવા, ડોલવણ, દસાડા અને વિરપુરમાં 3.8 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ કરજણ, વાપી અને ચોર્યાશીમાં 3.5 ઈંચ વરસાદ આવ્યો છે. વાગરામાં 5.6 ઈંચ, બોટાદમાં 5.1 ઈંચ, અમદાવાદ અને કેશોદમાં 5 ઈંચ, મહુવામાં 4.7 ઈંચ વરસાદ પડ્યો છે.

સાણંદ, વંથલી, ચિખલી અને ધરમપુરમાં 4.4 ઈંચ વરસાદ

સાણંદ, વંથલી, ચિખલી અને ધરમપુરમાં 4.4 ઈંચ, મહુવા, ડોલવણ, દસાડા અને વિરપુરમાં 3.8 ઈંચ, કરજણ, વાપી અને ચોર્યાશીમાં 3.5 ઈંચ વરસાદ સાથે બાબરા, બરવાળા, ઉમરગામ, લીલિયામાં 3 ઈંચ વરસાદ આવ્યો છે. ધોધમાર વરસાદથી કેટલીય જગ્યાઓ પર પાણી ભરાઇ ગયા છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. સાથે જનજીવનને ખૂબ ગંભીર અસર થઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી આવી જતાં ઘરવખરીને નુકસાન થયુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular