Saturday, May 17, 2025
Google search engine
HomeNewsબાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

BCCI એ બાંગ્લાદેશ સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું સુકાન સંભાળતો જોવા મળશે અને મયંક યાદવને પણ આ આગામી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબર, બીજી 9 ઓક્ટોબર અને શ્રેણીની છેલ્લી મેચ 12 ઓક્ટોબરે રમાશે.

થોડા દિવસો પહેલા ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને બુચી બાબુ ટૂર્નામેન્ટ દરમિયાન હાથની ઈજા થઈ હતી. સૂર્યા હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને 6 થી 12 ઓક્ટોબર સુધી ચાલનારી T20 શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. મિસ્ટ્રી સ્પિન બોલર વરુણ ચક્રવર્તીએ વર્ષ 2021માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. તે 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. સંજુ સેમસન અને જીતેશ શર્માને વિકેટકીપરના વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા છે. સેમસન અગાઉ શ્રીલંકા સામેની શ્રેણીની બંને મેચમાં શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો.

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂકેલા મયંક યાદવને પણ ડેબ્યૂ કરવાની તક મળી છે. મયંકે IPLની તાજેતરની સિઝનમાં સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને સનસનાટી મચાવી હતી. અભિષેક શર્માને શ્રીલંકા સામેની શ્રેણીમાં રમવાની તક મળી ન હતી, પરંતુ તે પહેલા તેણે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હર્ષિત રાણા, અર્શદીપ સિંહ ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે, જ્યારે ભારતીય ટીમ પાસે શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી અને હાર્દિક પંડ્યાના રૂપમાં 3 ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હશે.

T20 શ્રેણી માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, નીતીશ રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, હરહિતના સિંહ , મયંક યાદવ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular