Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainment'વાત વાતમાં'થી વાત લગ્ન સુધી પહોંચી જ ગઈ, મલ્હાર અને પૂજા કરશે...

‘વાત વાતમાં’થી વાત લગ્ન સુધી પહોંચી જ ગઈ, મલ્હાર અને પૂજા કરશે લગ્ન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને સુંદર, સોહામણી અભિનેત્રી પૂજા જોષી બંને લગ્ન કરવાના છે એવી છેલ્લા કેટલાક દિવસોથી અફવા ચાલી રહી હતી. આખરે હવે હકીકત સામે આવી ગઈ છે. અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. આ ખુશખબરી ખુદ મલ્હાર અને પૂજાએ આપી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઢોલીવૂડ (Dhollywood)માં અફવા ઉડી રહી હતી. જોકે આ દરમિયાન મીડિયા દ્વારા મલ્હાર ઠાકર અને પૂજા જોશીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. પરંતુ બંનેએ જવાબ આપવાનું ટાળ્યું હતું. ચિત્રલેખા ડૉટ કૉમે જ્યારે પૂજા જોષી સંપર્ક કર્યો ત્યારે તેણીએ કહ્યું હતું કે ” હું હાલમાં કોઈ જ ટિપ્પણી કરવા માંગતી નથી. હું બસ એટલું જ કહીશ થોડી રાહ જુઓ”. આખરે આ આતુરતાનો અંત આવ્યો અને ઈન્સ્ટાગ્રામ પર બંને સ્ટાર્સે સત્તાવાર રીતે પોતાના સંબંધની અને લગ્નના સમાચાર ચાહકો સાથે શેર કર્યા. ‘વાત વાતમાં’થી વાત લગ્ન સુધી પહોંચી જ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

મલ્હાર અને પૂજાએ એક સુંદર તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, તમામ અફવાઓનો અંત લાવીએ છીએ. રીલથી રિયલ સુધી…તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ. કાઉન્ટડાઉન શરૂ!

નોંધનીય છે કે મલ્હાર ઠાકર અને પૂજા જોષી બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે.તેમણે વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રીની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ સાથે કરી હતી. જેમાં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’માં સાથે જોવા મળ્યા હતાં. આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular