Saturday, June 7, 2025
Google search engine
HomeNewsEntertainmentમલાઈકા અરોરાના પિતાએ ઘરના છઠ્ઠા માળેથી કૂદકો મારી કરી આત્મહત્યા

મલાઈકા અરોરાના પિતાએ ઘરના છઠ્ઠા માળેથી કૂદકો મારી કરી આત્મહત્યા

મુંબઈ: મલાઈકા અરોરાને લઈને દુ:ખદ સમાચાર આવ્યા છે. અભિનેત્રીના પિતાનું નિધન થયું છે. બૉલિવૂડની સુંદરી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર પછી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.

હાલ મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અનિલ અરોરાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.

એક્સ પતિ અરબાઝ ખાન મલાઈકાના ઘરે પહોંચ્યા

આ મુશ્કેલ સમયમાં મલાઈકા અરોરાનો એક્સ પતિ અરબાઝ ખાન તરત જ અભિનેત્રીના ઘરે પહોંચી ગયા હતા. અભિનેતા મલાઈકાના ઘરની બહાર પોલીસ સાથે વાત કરતો જોવા મળ્યા હતા.

પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.

મલાઈકા અરોરા ઘરે નહોતી
અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. આ ઘટનાની જાણકારી મળતા જ મલાઈકા તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular