Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્ર: એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્ર: એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ છે જેના પછી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે અને તે પહેલા રાજકીય વર્તુળોમાં કંઈ પણ થઈ શકે છે. આજે જ મહાયુતિની મહત્વની બેઠક યોજાવાની હતી. પરંતુ તે પહેલા જ એકનાથ શિંદેની તબિયત લથડી હતી. તમને જણાવી દઈએ કે મહાયુતિની આ બેઠક આજે બપોરે 3 વાગ્યે એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે યોજાવા જઈ રહી છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થવાની ચર્ચા છે.પરંતુ શિંદેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બેઠકમાં મંત્રાલયોના વિભાજન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular