Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalમધ્યપ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય

મધ્યપ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 52 વર્ષ બાદ મંગળવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી અને મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી ચૂકવતી હતી. આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 52 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને મુખ્યમંત્રી યાદવે પલટી નાખી છે. વર્ષ 2024-25નું બજેટ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં કરાયેલી જોગવાઈઓ માટે સંમતિ આપવામાં આવી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર નહીં પરંતુ મંત્રીઓ પોતે ભરશે. કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મંગળવારે આ બેઠક અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી સામાન્ય વહીવટીતંત્ર આવકવેરો ચૂકવતો હતો.

સરકારના કરોડો રૂપિયાની બચત થશે

તમને જણાવી દઈએ કે રાજ્યમાં મંત્રીઓની સંપત્તિ 18.54 કરોડ રૂપિયા છે, તેમ છતાં રાજ્ય સરકાર તેમનો આવકવેરો ચૂકવી રહી છે. મધ્યપ્રદેશ સહિત દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં મંત્રીઓનો આવકવેરો રાજ્ય સરકાર ચૂકવે છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. કેબિનેટ બેઠક બાદ નિર્ણય વિશે માહિતી આપતાં સીએમ યાદવે કહ્યું કે કેબિનેટ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોહન યાદવે કહ્યું કે હવે અમારા તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો જાતે જ ભરશે.

કેબિનેટ બેઠકમાં અન્ય કયા નિર્ણયો લેવામાં આવ્યા

આ ઉપરાંત, મોહન યાદવ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મધ્યપ્રદેશના તમામ વિકાસ બ્લોકમાં સ્થાપિત માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ કૃષિ સ્નાતકો અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતી સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. સરકાર દરેક ડેવલપમેન્ટ બ્લોકમાં 45-45 સેમ્પલના પરીક્ષણ માટે ફંડ આપશે. આ પછી ઓપરેટરો જાતે માટી પરીક્ષણ કરશે અને રકમ મેળવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular