Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalસોનિયા ગાંધીના ભાજપ પર પ્રહાર, 10 વર્ષમાં મોંઘવારી-બેરોજગારી જ આપી

સોનિયા ગાંધીના ભાજપ પર પ્રહાર, 10 વર્ષમાં મોંઘવારી-બેરોજગારી જ આપી

જયપુર: લોકસભા ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રાજસ્થાનના જયપુરમાં આયોજિત કોંગ્રેસની જનસભામાં સોનિયા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા અને કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એવી સરકારના હાથમાં છે જેણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી. આ દેશ આપણા સૌનો છે.

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, દેશ કરતા કોઈ મોટો હોઈ શકે? જે આવું વિચારે છે, દેશની જનતા, મારી વહાલી બહેનો, યુવાનો, ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરો તેને પાઠ ભણાવો. કમનસીબે આજે આપણા દેશમાં આવા નેતાઓ સત્તા પર છે. પોતાને મહાન ગણતા મોદીજી દેશ અને લોકશાહીની ગરિમા સાથે છેડો ફાડી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડરાવવા અને ભાજપમાં જોડાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે આપણા દેશની લોકશાહી ખતરામાં છે.

આ સાથે સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે રોજની કમાણીમાંથી રોજિંદી વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ છે. મહેનતું કામદારોની મહેનતનું મૂલ્ય ઘટી રહ્યું છે. રસોડામાં રહેવાનો ખર્ચ મારી બહેનોની વારંવાર કસોટી કરી રહ્યો છે. ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારોના છોકરા-છોકરીઓ બેરોજગાર છે. ગરીબ વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે, શક્તિ, સફળતા અને પ્રકાશ તેના સુધી પહોંચી શકતા નથી. મિત્રો આજે દેશ તમારી જાગૃતિની રાહ જોઈ રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular