Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalટોલ ટેક્સ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન

ટોલ ટેક્સ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટોલ નાબૂદ કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું – અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.

સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમથી લોકોને કેવી રીતે ફાયદો થશે?

કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો કે આ નવી સિસ્ટમ હેઠળ સમય અને નાણાંની બચત થશે. જો કે, પહેલા મહારાષ્ટ્રના મુંબઈથી પુણે સુધીની મુસાફરીને પૂર્ણ કરવા માટે નવ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે તે માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાય છે.

મોદી સરકાર તમામ શહેરો અને લાંબા રૂટમાં ઈ-બસ ચલાવશે

કેન્દ્રીય મંત્રીએ અગાઉ 18 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં તમામ ભારતીય શહેરોમાં અને દિલ્હી-શિમલા, દિલ્હી-ચંદીગઢ તેમજ મુંબઈ-પુણે જેવા કેટલાક લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના ધરાવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular