Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsGujaratસી. આર. પાટિલે કેમ ગુરૂવારે ન ભર્યું ફોર્મ?

સી. આર. પાટિલે કેમ ગુરૂવારે ન ભર્યું ફોર્મ?

સુરત: નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ આજે ફોર્મ ભરવા વિશાળ રેલી સાથે નીકળ્યા હતા, પણ વિજય મુહૂર્ત ચૂકી જતાં હવે શુક્રવારે ફોર્મ ભરશે. સી.આર પાટીલની રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના હજારો સમર્થકો જોડાયા હતા. 

સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી નવસારીના મધ્યસ્થ ભાજપ કાર્યાલયથી નીકળી હતી. ગરમીના માહોલમાં પણ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો નજરે પડ્યા હતા. રેલીમાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને ગીતાબેન રબારીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં.એટલું જ નહીં, મહિલાઓએ તો ગરબા પણ કર્યા હતા.

રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. બધુ આયોજન પ્રમાણે બરાબર ચાલી રહ્યું હતું. પણ એમાં ફોર્મ ભરવાનું વિજયમૂર્હત ચુકાય જવાયું.

આમ તો સી. આર. પાટિલે પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો કરાયો છે પણ હવે એ ફોર્મ તો આવતીકાલે વિજય મુહૂર્તમાં જ ભરશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular