Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsGujaratસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: આજે પ્રચારનો અંતિમ દિવસ, 16મીએ થશે મતદાન

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: આજે પ્રચારનો અંતિમ દિવસ, 16મીએ થશે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓ સહિતની ચૂંટણી માટે આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પર પડઘમ શાંત પડી જશે. હવે ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર અભિયાન દ્વારા મતદારોને સંપર્ક કરશે.

5084 ઉમેદવારો મેદાનમાં, 213 બેઠકો બિનહરીફ

આ ચુંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 8 બિનહરીફ રહી છે, જ્યારે બાકીની 52 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાનમાં છે.

અમદાવાદ, ભાવનગર અને સુરતમાં પેટાચૂંટણી

મહાનગરપાલિકાઓમાં ત્રણ વોર્ડ માટે પણ પેટાચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ (વોર્ડ નં. 7) ભાવનગર (વોર્ડ નં. 3) અને સુરત (વોર્ડ નં. 18)નો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો માટે 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
1677 બેઠકો પર મતદાન થશે.

66 નગરપાલિકાઓમાં 461 વોર્ડ માટે ચૂંટણી યોજાશે, જેમાં 24 વોર્ડ બિનહરીફ રહી ગયા છે. કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે 1677 બેઠકો માટે 4374 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થશે. મતદાન 16 ફેબ્રુઆરીના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની ચૂંટણીમાં 107 ઉમેદવારો મેદાનમાં છે, અને પ્રચારના અંતિમ દિવસે રાજકીય દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી સાંસદ ગેનીબેન ઠાકોર સભા સંબોધશે. જ્યારે AAP નેતા ગોપાલ ઇટાલિયા પણ પ્રચારમાં જોડાશે. તો વળી ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આખરી તબક્કાનો પ્રચાર જોરશોરથી ચલાવશે.

જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર જંગ

જૂનાગઢ, માળીયાહાટી અને ચોરવાડ નગરપાલિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બંને પક્ષોએ વિજય માટે દાવા કર્યા છે અને તેમના ઉમેદવારોને જીતાડવા આખરી દોડધામ ચલાવી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, અને ત્યાર બાદ શક્યતા છે કે ચુંટણીનો રુખ સ્પષ્ટ થાય જો કે એ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular