Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalકેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 150 લોકોના મોત, 91 લોકો ગુમ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 150 લોકોના મોત, 91 લોકો ગુમ

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ છે અને ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. ભૂસ્ખલનથી મકાનો અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે.અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને નદીઓ વહેતી થઈ છે. ગુમ થયેલા લોકોને શોધવા અને બચાવવા માટે તમામ સંભવિત સાધનો સાથે ઓપરેશન ચાલી રહ્યું છે.

નેવીની 60 ટીમ ચુરલમાલા પહોંચી

કેરળ પીઆરડી (પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ) એ જણાવ્યું કે એઝિમાલા નેવલ એકેડમીની 60 ટીમો બચાવ કામગીરી માટે ચુરલમાલા પહોંચી છે. લેફ્ટનન્ટ કમાન્ડન્ટ આશિર્વાદની આગેવાની હેઠળની એક ટીમ સ્થળ પર છે, જેમાં 45 ખલાસીઓ, પાંચ અધિકારીઓ, છ ફાયર ગાર્ડ અને એક ડૉક્ટરનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીએ પ્રવાસ રદ કર્યો હતો

ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધીનો વાયનાડ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર આ બાબતની માહિતી આપી હતી. તેણે કહ્યું કે,’હું અને પ્રિયંકા ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને મળવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા વાયનાડ જઈ રહ્યા હતા. જો કે સતત વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અમને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે અમે ઉતરાણ કરી શકીશું નહીં. હું વાયનાડના લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે શક્ય તેટલી વહેલી તકે મુલાકાત લઈશું.’

કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું કામ ચાલુ

આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની બચાવ ટુકડીઓ પ્રતિકૂળ હવામાન વચ્ચે બચી ગયેલા લોકોને શોધવા માટે સાથે મળીને કામ કરી રહી છે. કાયકિંગ, કોરેકલ બોટિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવાસી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટીમો બચાવ કામગીરીમાં લાગી છે

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) અનુસાર, ફાયર અને રેસ્ક્યૂ ટીમ, સિવિલ ડિફેન્સ, NDRF અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. DSC સેન્ટર કન્નુરના લગભગ 200 ભારતીય સેનાના જવાનો અને કોઝિકોડની 122 TA બટાલિયન પણ સ્થળ પર હાજર છે. આ સાથે વાયુસેનાના બે હેલિકોપ્ટર, એક Mi-17 અને એક ALH પણ બચાવ કાર્યનું સંકલન કરી રહ્યા છે. વાયનાડની વિવિધ હોસ્પિટલમાં 120થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર, 116 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ વાયનાડ અને પડોશી જિલ્લાઓમાં ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું છે, જેમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આફત અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ, બુધવારના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. કાસરગોડ, કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, એર્નાકુલમ, અલપ્પુઝા અને પથાનમથિટ્ટામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular