Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનામાંથી બ્લેક લિસ્ટ કરાઇ

ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનામાંથી બ્લેક લિસ્ટ કરાઇ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમના દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

વધુ વિગતો આપતા ધનંજય દ્વિવેદીએ ઉમેર્યુ હતું કે, ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમીતિની રચના કરાઇ હતી. આ સમીતીએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઇ તે રીપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યો હતો.

જેમાં પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને 19 જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી 07 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી. આ 07 દર્દીઓ પૈકી 02 દર્દીઓનું દુ:ખદ મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલને PMJAY-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular