Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી ચૂંટણી માટે કેજરીવાલે જારી કરી 15 ગેરન્ટી

દિલ્હી ચૂંટણી માટે કેજરીવાલે જારી કરી 15 ગેરન્ટી

નવી દિલ્હીઃ દિલ્હીના દંગલમાં ત્રણે મુખ્ય પક્ષો ચૂંટણીજંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક બાજુ દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આજે ઘોષણાપત્ર જારી કરી દીધું છે. જે હેઠળ કેજરીવાલે 15 ગેરન્ટીઓનું એલાન કર્યું છે. તેમણે ભાર દઈને કહ્યું હતું કે ભાજપે તેમને કોપી કરતાં ગેરંટી શબ્દનો ઉપયોગ કર્યો છે.  બીજી તરફ ભાજપના બધા મોટા નેતાચૂંટણીપ્રચારમાં ઊતરવાના છે. દિલ્હીમાં ભાજપ માટે શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ચૌહાણ, અનુરાગ ઠાકુર, યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

આપ પાર્ટીની ગેરન્ટીઓ

  • બધાને રોજગારની ગેરંટૂ
  • બધી મહિલાઓને રૂ. 2100ની ગેરન્ટી
  • ખોટા પાણીનાં બિલ માફ કરવાની ગેરન્ટી
  • સિનિયર સિટિઝનો માટે સંજીવની યોજનાની ગેરંટી
  • પૂજારી ગ્રંથિઓને પ્રતિ મહિને રૂ. 18,000
  • વિદ્યાર્થીઓને મેટ્રોમાં 50 ટકા છૂટ
  • ઓટો-ટેક્સીવાળાઓની પુત્રીઓને લગ્નમાં મદદ

નવી દિલ્હીઃ દિલ્હીના દંગલમાં ત્રણે મુખ્ય પક્ષો ચૂંટણીજંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક બાજુ દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આજે ઘોષણાપત્ર જારી કરશે. બીજી તરફ ભાજપના બધા મોટા નેતાચૂંટણીપ્રચારમાં ઊતરવાના છે. દિલ્હીમાં ભાજપ માટે શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ચૌહાણ, અનુરાગ ઠાકુર, યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

આપ પાર્ટી પણ દિલ્હી કબજે કરવા જોરદાર પ્રચાર કરી રહી છે. પાર્ટી દિલ્હી ચૂંટણી આજે ઘોષણાપત્ર જારી કરવાની છે, જેમાં પાર્ટી અનેક મોટા એલાનની સંભાવના છે. અત્યાર સુધી કેજરીવાલે જે પણ ગેરંટીઓ આપી છે એને ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવશે.  આપ સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ જનસભા સંબોધિત કરશે, જ્યારે CM આતિશી પણ એક ચૂંટણી સભા સંબોધશે. કોંગ્રેસ પણ અનેક મુસ્લિમ બહુમતી સીટો પર કોંગ્રેસનું ખાસ ફોકસ છે. હાલ પાટનગરમાં બધા પક્ષો મધ્યમ વર્ગને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular