Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalચૂંટણી કમિશનર પર કેજરીવાલનો પ્રહાર, 'રાજનીતિ જ કરવી હોય તો લડી લો...

ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો પ્રહાર, ‘રાજનીતિ જ કરવી હોય તો લડી લો ચૂંટણી…’

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે (30મી જાન્યુઆરી) ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘ચૂંટણી પંચ રાજનીતિ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર નિવૃત્તિ પછી નોકરી શોધી રહ્યા છે, તેથી તેઓ રાજનીતિ કરી રહ્યા છે.’

કેજરીવાલે ચૂંટણી કમિશનર પર નિશાન સાધ્યું 

એક પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘જો મુખ્ય ચૂંટણી કમિશનર રાજનીતિ કરવા માંગતા હોય તો તેમણે દિલ્હીની કોઈપણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ. મને નથી લાગતું કે ચૂંટણી પંચ ક્યારેય આટલું બર્બાદ થયું હશે. મને ખબર છે કે તે મને બે દિવસમાં જેલમાં ધકેલી દેશે. મને ડર નથી. દેશે આવી ચૂંટણીઓ પહેલાં ક્યારેય જોઈ નથી.

ચૂંટણી પંચે આ મુદ્દે કેજરીવાલને 5 પ્રશ્નો પૂછ્યા

દિલ્હી ચૂંટણી પહેલા યમુનામાં ઝેર અંગેના નિવેદનને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ચૂંટણી પંચે આ મુદ્દે AAP વડા કેજરીવાલને 5 પ્રશ્નો પૂછ્યા છે અને તેમને આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં તેના જવાબ આપવા કહ્યું છે.

1. હરિયાણા સરકાર દ્વારા યમુના નદીમાં કયા પ્રકારનું ઝેર ભેળવવામાં આવ્યું હતું?

2. ઝેરની માત્રા, પ્રકૃતિ અને શોધની પદ્ધતિ વિશે પુરાવા આપો જેથી ખ્યાલ આવે કે નરસંહાર થઇ શકતો હતો

3. ઝેર કઈ જગ્યાએ મળ્યું?

4. દિલ્હી જલ બોર્ડના એન્જિનિયરોએ આ શોધ ક્યાં અને કેવી રીતે કરી?

5. પાણીને દિલ્હીમાં પ્રવેશતું અટકાવવા એન્જિનિયરોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો?

યમુના અંગે શું વિવાદ છે?

27મી જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સમયે, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, ‘લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular