Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalઆપ છોડ્યાના બીજા જ દિવસે કૈલાશ ગહેલોત ભાજપમાં જોડાયા

આપ છોડ્યાના બીજા જ દિવસે કૈલાશ ગહેલોત ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: રાજ્યની આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે સોમવારે તેઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા.કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામડાઓના જાણીતા ચહેરા તરીકે કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાયા છે.

 ગેહલોતે આ પ્રસંગે કહ્યું કે, ‘હું કોઈપણ દબાણ વગર ભાજપમાં જોડાયો છું. હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. હવે ભાજપ દ્વારા મને જે પણ ભૂમિકા આપવામાં આવશે હું તે ભજવીશ.’કૈલાશ ગેહલોતે પોતાના પર લાગેલા આરોપો વિષે સ્પષ્ટતા કરતા કહ્યું, ‘આમ આદમી પાર્ટી છોડીને જવું સરળ નહોતું. આપમાં પરિસ્થિતિ અનુકુળ ન હતી. પાર્ટીમાં આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો.’ તેમણે વધુમાં કહ્યું, ‘ED અને CBIના દબાણની વાત ખોટી છે. હું કોઈના દબાણમાં આવીને નિર્ણય લેતો નથી. દરેક મામલે કેન્દ્ર સાથે ટકરાવ ખોટો છે. મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. તેમને વધુમાં કહ્યું હતું કે હું પ્રામાણિક રાજનીતિના કારણે જ પાર્ટીમાં જોડાયો હતો, હવે તે નથી રહી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular