Sunday, June 29, 2025
Google search engine
HomeNewsEntertainment'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બાદ હવે જેઠાલાલ પણ નહી જોવા...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બાદ હવે જેઠાલાલ પણ નહી જોવા મળે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આવા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે કલાકારોને ભાગ્યે જ બ્રેક મળે છે અને આ વખતે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમના શેડ્યૂલમાંથી થોડો બ્રેક લીધો છે.  દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે તે શો છોડશે કે નહીં, તો તેની પાછળનું સાચું કારણ શું છે તેના વિશે એક ખાસ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ દિલીપ જોશીએ તેમના શોમાંથી બ્રેક લીધો છે અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે તાંઝાનિયાના ટૂંકા ધાર્મિક પ્રવાસ પર છે.’

અભિનેતા સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત એક ખાસ પ્રસંગ માટે દરેસલામમાં છે. ચાહકો જાણે છે તેમ, દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેથી તેમણે હજી સુધી તેમની સફરની કોઈ તસવીરો પોસ્ટ કરી નથી. પરંતુ દિલીપની છેલ્લી પોસ્ટ હજુ પણ તેની ધાર્મિક યાત્રાઓ વિશે ઘણું બધું કહે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular